SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર જાય છે. એટલે ભગવાનનાં વચનોને આજ્ઞારૂપ માની, શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનપૂર્વક જીવનમાં તેને ઉતારવાનો નિર્ધાર કરીએ તો વિષયરાગ ઘટવા લાગે છે. પરિણામે આર્તધ્યાન પણ ઓછું થાય છે. (૨) અપાયરિચય – અપાયનો અર્થ થાય છે અનર્થ, કષ્ટ, દુઃખ ઇત્યાદિ. અપાય-વિચયમાં હિંસા વગેરે પાપોથી અને રાગ વગેરે દોષોથી કેવા કેવા અનર્થો ઊભા થયા છે અને જીવોને કેવાં કેવાં કષ્ટો વેઠવાં પડે છે તેનું ચિંતન થાય છે. એ ચિંતન થવાથી તેનાં પાપો પ્રત્યે તિરસ્કાર થાય છે અને તેવા દોષો ન કરવાનો ભાવ થાય છે. એવાં પાપોની સજા કર્મસત્તા કેવી કરે છે તે વિચારતાં તેવાં પાપો કરતી વખતે મનમાં ભય પેદા થાય છે અને અટકી જવાય છે. આમ અપાયવિચયથી રૌદ્રધ્યાન અટકે છે. (૩) વિપાકવિચય – વિપાક એટલે પરિપાક. અહીં વિપાક એટલે કર્મોનું પાકવું તે. શુભાશુભ કર્મોનો ઉદય થાય છે અને તે જીવોને ભોગવવાનાં આવે છે. કેટલીક વાર તો નહિ કલ્પલાં પરિણામ નજર સમક્ષ જોવા મળે છે ત્યારે કર્મની ગતિ કેવી ન્યારી છે એનું ચિંતન ચાલે છે. પરિણામે કર્મસિદ્ધાન્તમાં અચલ વિશ્વાસ બેસે છે. આ ચિંતન તે વિપાક-વિચય ધ્યાન. પોતાના સુખના ભોગવટા વખતે જે ભાવો જાગે છે અને આર્ત અને રૌદ્ર ધ્યાનમાં પરિણમે છે તે એ ચિંતનથી અટકી જાય છે. આ રીતે વિપાકચિયરૂપી શુભ ધ્યાન અશુભ ધ્યાનને અટકાવે છે. (૪) સંસ્થાનવિચય – ધર્મધ્યાનનો ચોથો પ્રકાર તે સંસ્થાનવિચય છે. સંસ્થાન એટલે સંરચના, વ્યવસ્થા, સ્થિતિ ઇત્યાદિ. અહીં ચૌદ રાજલોક અને જીવ-અજીવાદિ ષડૂ દ્રવ્યોની સ્થિતિ કેવી છે અને આ વિરાટ વિશ્વની વ્યવસ્થા કેટલી બધી અદ્ભુત છે તેનું ચિંતન કરવાનું છે. એ ચિંતન કરતાં કરતાં પોતાની અલ્પતા, વિશ્વનાં રહસ્યો સમજવા માટેની પોતાની અશક્તિ ઇત્યાદિની પ્રતીતિ થાય છે અને જેમ જેમ રહસ્યો સમજાતાં જાય છે તેમ તેમ બધું જ વ્યવસ્થિત છે એમ લાગે છે. આ રીતે આ શુભ ધ્યાનથી જીવની મૂઢતા દૂર થાય છે અને એનું અશુભ ધ્યાન અટકે છે. આમ ધર્મધ્યાન અશુભ ધ્યાનને અટકાવે છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિશે આરંભમાં માત્ર વિચારણા કે સાધારણ કક્ષાનું ચિંતન ચાલે છે. પરંતુ પછી એ ચિંતન ધારારૂપ બની જાય છે અને એમાં ગહનતા, લીનતા અને તન્મયતા આવે છે ત્યારે તે ધર્મધ્યાન બને છે. [૬૧૩] નામં પ્રમUTયાં દેહૂલાદરપવિતા | आज्ञां ध्यायेज्जिनेन्द्राणामप्रामाण्याकलंकिताम् ॥३६॥ અનુવાદ : નયભંગ અને પ્રમાણથી વ્યાસ, હેતુ તથા ઉદાહરણથી યુક્ત, અપ્રામાયથી કલંક્તિ નહિ થયેલી એવી જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન ધરવું. ' વિશેષાર્થ: ધર્મધ્યાનના વિષય તરીકે સૌ પ્રથમ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ધ્યાન ધરવાની ભલામણ કરવામાં આવી છે. - જિનેશ્વર ભગવાનની આજ્ઞા એટલે જિનવચન, જિનાગમ, જિનવાણી. ભગવાનની વાણી-જિનવાણી કેવી છે ? ભગવાનની વાણીનો, એમની આજ્ઞાનો મહિમા જુદાં જુદાં વિશેષણો વડે શાસ્ત્રકારો દર્શાવતા રહ્યા છે. અહીં ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ એ માટે કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવ્યાં છે. ૩૫૬ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy