________________
અધ્યાત્મસાર
(૩) અકર્મમાં કર્મ – અકર્મરૂપી કર્મયોગ (૪) અકર્મમાં ન કર્મ-ન અકર્મરૂપી કર્મયોગ
કર્મ અને અકર્મનો આ વિષય ઘણો ગહન છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે અહીં ‘કર્મ' શબ્દ ક્રિયા કે કાર્યના અર્થમાં વપરાયો છે. કાશ્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓના અર્થમાં તે વપરાયો નથી. [૫૨] બૈર્ચવેષીમુવાલીની વિભાવનું !
ज्ञानी नो लिप्यते भोगैः पद्मपत्रमिवांभसा ॥३५॥ અનુવાદ : કર્મ અને નિષ્કર્મની વિષમતાને ચિંતવતો ઉદાસીન જ્ઞાની, જળથી કમલના પત્રની જેમ, ભોગોથી લપાતો નથી.
વિશેષાર્થ : કર્મ અને નિષ્કર્મ (અથવા કર્મયોગ અને જ્ઞાનયોગ)ની વચ્ચે રહેલી વિષમતાનું ચિંતન કરવાથી તે પ્રત્યે જ્ઞાની મહાત્માઓને ઉદાસીનતાનો ભાવ આવે છે. આ ઉદાસીનતા એટલે એવા પ્રકારના લિંકોથી ઉપર ઊઠવાની દશા. આવી ઉદાસીનતા જેમણે પ્રાપ્ત કરી છે એવા મહાત્માઓ ખાનપાન વગેરે પ્રકારના ભોગો પ્રત્યે ઉદાસીન રહે છે. કદાચ તેમને ભોગો ભોગવવા પડે તો પણ તેઓ તેમાં લેવાતા નથી. અહીં જળકમળનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કમળ પાણીમાં ઊગે છે છતાં તે પાણીથી ઉપર રહે છે. એટલે કે તે પાણીથી ભીંજાતું નથી. એવી રીતે સંસારમાં રહેલા જ્ઞાની મહાત્માઓને પોતાના દેહના નિર્વાહ અર્થે અથવા અન્ય કોઈ પ્રયોજનાર્થે કોઈ કાર્ય કરવું પડે તો તેઓ કરે છે, પરંતુ તેમાં તેઓ રસ લેતા નથી. તેનાથી તેઓ લેવાતા નથી. તેમાં તેમનું કર્તુત્વ કે ભોસ્તૃત્વ રહેલું હોતું નથી. અલબત્ત, એવી સ્થિતિએ પહોંચવાનું અત્યંત દુષ્કર છે, પણ જ્ઞાની મહાત્માઓ તે દશાને પોતાના જીવનમાં સિદ્ધ કરી શકે છે. [૫૩૦] પાપારમાત્રાદ્ધિ ન મૌનં વિવિત્સ !
__ अनन्यपरमात्साम्याद् ज्ञानयोगी भवेन्मुनिः ॥३६॥ અનુવાદ : પાપ ન કરવા માત્રથી, વિચિકિત્સાથી મુનિપણું (મૌન) આવતું નથી. અનન્ય, પરમ સમતાથી જ્ઞાનયોગી મુનિ થાય છે. વિશેષાર્થ : મુનિપણું અને જ્ઞાનયોગીપણું એ બે વિશે અહીં કેટલીક શંકાનું નિવારણ કરવામાં આવ્યું છે.
મુનિઓને સાવદ્ય પ્રવૃત્તિ ન કરવાનાં પચ્ચખાણ હોય છે. ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી કોઈ વ્યક્તિ સાધુ બને છે ત્યારે ગૃહસ્થ જીવનની આરંભ-સમારંભની પ્રવૃત્તિઓથી તે મુક્ત બને છે. ધનોપાર્જનની પ્રવૃત્તિ તેને કરવાની રહેતી નથી અને વ્યવહાર સાચવવા માટે લગ્ન-મરણાદિ પ્રસંગે દોડાદોડ કરવાની હોતી નથી. આમ એકંદરે મુનિને પાપરૂપ સાવદ્ય પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. હવે કોઈ ગૃહસ્થ હેતુપૂર્વક કે અજાણતાં, સંદેહથી એવી પાપરૂપ પ્રવૃત્તિ છોડી દીધી હોય તો તે શું મુનિ કહેવાશે ? ના, નહિ કહેવાય કારણ કે તેણે મુનિપણાનું વ્રત ધારણ કર્યું નથી.
તો પછી કોઈ મુનિએ પાપરૂપ સાવદ્ય પ્રવૃત્તિ છોડી દીધી હોય તો તેટલા માત્રથી તેને સાચા અર્થમાં
૩૦૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org