SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મીવિજયગણિ હતા. શ્રી ગુણવિજયગણિની શિષ્ય પરંપરામાં શ્રી કેસરવિજયગણિ, એમના શિષ્ય શ્રી વિનીતવિજયગણિ અને એમના શિષ્ય શ્રી દેવવિજયગણિ હતા. કાળધર્મ સં. ૧૭૪૩નું ચાતુર્માસ શ્રી યશોવિજયજી મહારાજે તત્કાલીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક નગરી દર્ભાવતી(ડભોઈ)માં કર્યું હતું. પાંચ (અથવા આઠ) દાયકાથી અધિક વર્ષ દીક્ષા પર્યાયને થયાં હતાં. હવે એમની કાયા ક્ષીણ થવા લાગી હતી. એમની લેખિની ચાલતી નહોતી. પરંતુ એમની ધર્મારાધના તો બરાબર ચાલતી હતી. એમને પોતાના અંતિમ કાળની ખબર પડી ગઈ હતી. એમણે અનશનવ્રત સ્વીકારી લીધું હતું. અંતિમ આરાધના સારી રીતે કરીને એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાતમાં અને ગુજરાત બહાર વેગથી પ્રસરી ગયા. એક મહાન વિભૂતિનો નશ્વર દેહ ભૂતકાળમાં વિલીન થઈ ગયો, પરંતુ એમના અક્ષરદેહની જયોતિ એટલી જ પ્રકાશતી રહી. શ્રી યશોવિજયજીનો કાળધર્મ ડભોઈમાં થયો હતો તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના કાળધર્મનો નિશ્ચિત સમય આપણને જાણવા મળતો નથી. એમાં માસ અને તિથિ વિશે કશી જ માહિતી હાલ ઉપલબ્ધ નથી અને વર્ષની બાબતમાં મતભેદ માત્ર એક વર્ષ જેટલો જ અત્યારે તો છે. ઘણાં વર્ષ સુધી, સં. ૧૭૪૫ (શકે ૧૬ ૧૧)ના માગસર સુદ ૧૧, એ મૌન એકાદશીનો દિવસ શ્રી યશોવિજયજીની કાળધર્મની તિથિ છે એમ મનાતું હતું અને કેટલાંક પંચાંગોમાં એ પ્રમાણે એ તિથિ આપવામાં આવતી હતી. પરંતુ તેમાં ભૂલ હતી. ડભોઈના ગુરુમંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યું હોવાનો સંભવ છે પરંતુ એ પાદુકામાં આપેલાં સાલ-તિથિ ઉપાધ્યાયજીના કાળધર્મનાં નથી, પરંતુ પાદુકાની પ્રતિષ્ઠાનાં છે. ઘણાં વર્ષો પૂર્વે પ્રાપ્ત થયેલ “સુજસવેલી ભાસ'ની નીચેની કડીએ તે વિશે સ્પષ્ટ પ્રકાશ પાડ્યો છે : સત્તર ત્રયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે; તિહાં સુરપદવી અણસરી, અણસણિ કરિ પાતક ધોઈ રે.” આમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશોવિજયજી સં. ૧૭૪૩માં ડભોઈમાં ચોમાસું રહ્યા અને ત્યાં અનશન કરી કાળધર્મ પામ્યા. આમાં, અલબત્ત ચોક્કસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જૈન સાધુઓનું ચોમાસું અષાડ સુદ ૧૪ થી શરૂ થઈ કાર્તિક સુદ ૧૪ના દિવસે પૂર્ણ થાય. એટલે કે ચોમાસા દરમિયાન જ નવું વરસ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાયજીએ સં. ૧૭૪૩નું ચોમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમનો સ્વર્ગવાસ ચાતુર્માસ દરમિયાન થયો કે ચાતુર્માસ પછી, અને ચાતુર્માસમાં હોય તો તે સં. ૧૭૪૩માં થયો કે સં. ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી. ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓમાં એની રચના-સાલ જણાવી છે. તેમાં મોડામાં મોડી સં. ૧૭૩૯માં ખંભાતમાં “જંબુસ્વામી રાસની કરેલી રચના મળે છે. આ ઉપરાંત સુરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલ “પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય અને “અગિયાર અંગ સ્વાધ્યાય' એ બે કૃતિઓમાં એની રચનાતાલ “યુગ યુગ મુનિ વિધુવત્સરઈ' એ પ્રમાણે જણાવી છે. તેમાં “યુગ” એટલે ચાર-એમ જો લઈએ તો સં. ૧૭૪૪ થાય અને “યુગ” એટલે બે એમ જ લઈએ તો સં. ૧૭૨૨ 30 Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy