SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિઓ વડે જેઓ સુપ્રસિદ્ધ છે એવા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. તેઓ બંને શ્રી હીરવિજયસૂરિના સમુદાયના હતા. શ્રી વિનયવિજયજી ઉંમરે મોટા હતા. તેઓ વિ.સં. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ માટે હતા ત્યારે ત્યાંના સંઘે એમને શ્રીપાળ રાજા વિશે રાસકૃતિ લખવાની વિનંતી કરી. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થા અને કથળતી તબિયતને કારણે એવો મોટો ગ્રંથ લખવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તે પૂરો થાય કે ન પણ થાય. પરંતુ સંઘનો ઘણો આગ્રહ હતો એટલે તેમણે રાસ લખવાનું શરૂ કર્યું. સિદ્ધહસ્ત કવિઓને કાવ્યપંક્તિઓની રચના કરવી એ બહુ સરળ વાત હોય છે. શ્રી વિનયવિજયજી મહારાજે ઝડપથી રાસની રચના આગળ વધારી. થોડા સમયમાં તો રાસના ત્રણ ખંડ પૂરા થઈ ગયા. ચોથા ખંડની ચાર ઢાળ લખી ત્યાં તો શ્રી વિનયવિજયજીની તબિયત એકદમ બગડવા લાગી. દિવસો ગણાવા લાગ્યા. પાંચમી ઢાળની વીસ કડી સુધીની રચના થઈ. હજુ આગળ લખવાની ઇચ્છા ઘણી હતી પણ ચિત્તની તેવી સ્વસ્થતા રહી નહોતી. પોતાની આ કૃતિ અધૂરી રહેશે એનો મનમાં કંઈક વિષાદ પણ હશે. એ વખતે શ્રી યશોવિજયજી રાંદેરમાં હતા. શ્રી વિનયવિજયજી તેમના વડીલ કાકાગુરુ થાય. બંને વચ્ચે ઘણી આત્મીયતા હતી. એક દંતકથા પ્રમાણે તેઓ બંને કાશીમાં વિદ્યાભ્યાસ માટે સાથે હતા. શ્રી વિનયવિજયજીના મનમાં હતું કે પોતાનો અધૂરો રહેલો રાસ પૂરો કરવાને સમર્થ ત્યારે એકમાત્ર શ્રી યશોવિજયજી જ હતા. શ્રી યશોવિજયજી એમના મનના એ ભાવને પામી ગયા. એમણે તરત શ્રી વિનયવિજયજીને કહ્યું, “આપનો રાસ જ્યાંથી અધૂરો છે ત્યાંથી અવશ્ય તે હું પૂરો કરીશ.' એમના આ વચનથી શ્રી વિનયવિજયજીને શાંતિ થઈ. પછી થોડા સમયમાં જ તેઓ કાળધર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ છેલ્લો ખંડ લખી ‘શ્રીપાળ રાસ' પૂરો કર્યો. મધ્યકાલીન જૈન સાહિત્યમાં બે સમર્થ કવિઓને હાથે લખાયેલી એક જ કૃતિ તરીકે તે સુપ્રસિદ્ધ છે. શ્રી યશોવિજયજીએ પૂરા હર્ષોલ્લાસ સાથે એ રાસ પૂરો કર્યો હોવાથી તત્ત્વવિચારથી સભર એમની કાવ્યમય વાણી તેમાં કોઈ જૂદું જ રૂપ ધારણ કરે છે. આ ‘શ્રીપાળ રાસ ત્યારથી અદ્યાપિ પર્યત જૈનોમાં આયંબિલની ઓળીના દિવસોમાં વાંચવાની પરંપરા ચાલી આવી છે. ગુરુ-શિષ્ય પરંપરા - શ્રી યશોવિજયજીએ “પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પોતે જ રચેલી વૃત્તિમાં પોતાની ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે અકબર-પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી એ પરંપરાની શરૂઆત કરી છે. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શ્રી લાભવિજયજી અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજયજી અને શ્રી નવિજયજીનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નયવિજયજીગણિ શ્રી યશોવિજયજીના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયજીના ભાઈ–શ્રી પદ્મવિજયજીએ પણ શ્રી નયવિજયજી પાસે જ દીક્ષા લીધી હતી. શ્રી હીરવિજયસૂરિના બીજા બે મુખ્ય શિષ્યો તે શ્રી વિજયસેનસૂરિ અને શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય તે શ્રી વિજયદેવસૂરિ. એમના શિષ્યો તે શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ હતા. શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના પોતાના શિષ્યોમાં શ્રી ગુણવિજયગણિ, શ્રી તત્ત્વવિજય અને શ્રી 29 Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy