SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર [૨૩૩] મત પુર્વ હિ વિજ્ઞાસાં વિઠંમતિ મમત્વથી ! विचित्राभिनयाक्रान्तः संभ्रान्त इव लक्ष्यते ॥२५॥ અનુવાદ : એટલે જ મમત્વબુદ્ધિ જિજ્ઞાસાને અટકાવી રાખે છે. એથી જ વિચિત્ર પ્રકારના અભિનયથી વ્યાપ્ત થયેલો તે બહાવરા જેવો દેખાય છે. વિશેષાર્થ : મમતા અને તત્ત્વજિજ્ઞાસા એ બંનેની એકબીજા ઉપર ક્રિયાપ્રતિક્રિયા ચાલ્યા કરે છે. મમતાનું જોર વધે તો તત્ત્વજિજ્ઞાસાની વૃત્તિ ઘટે અને તત્ત્વજિજ્ઞાસા માટે રુચિ વધે તો મમતાનું બળ મંદ પડી જાય. જ્યારે મમતાનું ઘણું જોર વધી જાય છે ત્યારે એવી મમત્વબુદ્ધિવાળા માણસની જિજ્ઞાસા શાંત પડી જાય છે. તે બિચારો સંભ્રમવાળો થઈ જાય છે. તે ગભરાટ અનુભવે છે. તેના ચ હાવભાવ સ્વસ્થ નથી રહેતા, પણ સંજોગાનુસાર સારા-માઠા પ્રતિભાવો સહજ રીતે કે કૃત્રિમ રીતે દર્શાવનારો તે બની જાય છે. જાણે નાટકના પાત્રની જેમ તે મમતાને કારણે વિવિધ અભિનય કરતો ફરે છે. માટે જ તત્ત્વજિજ્ઞાસા ધરાવનારે મમતાના જોરને વધવા દેવું ન જોઈએ. [૨૩૪] ધૃતો યો ન મમતા હતા ને સમતાડડદતા | न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम् ॥२६॥ અનુવાદ : જેણે યોગ ધારણ કર્યો, પરંતુ મમતાનો નાશ ન કર્યો, સમતાનો આદર ન કર્યો અને તત્ત્વ જાણવાની ઈચ્છા ન કરી એનો જન્મ નિરર્થક ગયો છે. વિશેષાર્થ : સંસારનું અવલોકન કરતાં જણાશે કે અસંખ્ય લોકોનું જીવન પારમાર્થિક દૃષ્ટિએ નિરર્થક વેડફાઈ જતું હોય છે. જન્મ્યાં, મોટા થયાં, પરણ્યાં, હૈયાંછોકરાં મોટાં કર્યા, પરણાવ્યાં અને પોતાનું જીવન પૂરું કરી સંસારમાંથી વિદાય લીધી. પારમાર્થિક દૃષ્ટિએ કશું જ પામ્યા નહિ. સમગ્ર સંસારમાં મિથ્યાત્વનો અંધકાર ફેલાયેલો છે. અહં અને મમતા એમાં મોટો ભાગ ભજવે છે. કેટલાક માણસોમાં તત્ત્વજિજ્ઞાસા પ્રગટ થાય છે ત્યારે એમની મમત્વ બુદ્ધિ ઓછી થવા લાગે છે. જેમ મમત્વબુદ્ધિ ઓછી થતી જાય તેમ જીવનમાં સમતા દૃઢ થતી જાય. આમ છતાં ગૃહસ્થ જીવન જીવવું અને મમતાનો ત્યાગ કરી સમતામાં રમવું એ તો કોઈક વિરલ જ કરી શકે. કેટલાક એ માટે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી યોગી કે મુનિ બને છે. જો કે સંસારનો ત્યાગ કરીને, મહાવ્રતો અંગીકાર કરીને મુનિ બનવાનું ઘણું જ અઘરું છે. સંસારમાં પાંચ-સાત ટકા માણસો પણ એ માર્ગે જઈ શકતા નથી. પરંતુ એ માર્ગે ગયા પછીથી પણ મમતા ન સતાવે એવું નથી. મમતા સતાવે એટલે સમતા દેઢ ન થાય અને તત્ત્વજિજ્ઞાસા પણ દઢ ન થાય. જેઓ યોગી નથી થયા તેને માટે તો બધું નિરર્થક છે, પરંતુ જેઓ યોગી થયા છે તેઓ પણ જો મમતાનો ત્યાગ ન કરે, સમતાને દઢ ન કરે અને તત્ત્વરુચિને ન ખીલવે તો તે મુનિનો વેષ નિરર્થક નીવડે છે. [૨૩૫] નિજ્ઞાસા વ્ર વિશ્વ મમતાનાશાપુમ | अतस्ताभ्यां निगृह्णीयादेनामध्यात्मवैरिणीम् ॥२७॥ અનુવાદ : જિજ્ઞાસા અને વિવેક એ બે મમતાનો નાશ કરનારાં છે. એટલા માટે એ બે વડે અધ્યાત્મની વૈરિણીનો નિગ્રહ કરવો જોઈએ. ૧૨૮ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy