SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર સંબંધ તે સાંયોગિક સંબંધ છે. પુદ્ગલની તથા ચેતનની પૃથકતા રહેલી છે. પુદ્ગલ અને આત્માના સંસર્ગો અંતે શૂન્યવત્, નાશવંત છે. ચેતન અને જડ એ બંનેનાં સ્વભાવ અને લક્ષણ ભિન્ન ભિન્ન છે. એક જ દેહમાં આત્મા અને પુદ્ગલ એકક્ષેત્રાવગાહે રહેલાં હોવા છતાં એક બીજાથી ભિન્ન છે. બંનેનાં પરિણમન પણ ભિન્ન ભિન્ન છે. આ પ્રમાણે સંસારને તત્ત્વદષ્ટિથી એટલે કે પરમાર્થ દષ્ટિથી જે જોઈ શકે છે તે જ સાચું જુએ છે એમ કહી શકાય. ચર્મચક્ષુથી જોનાર અજ્ઞાનીને સંસાર જેવો દેખાય છે તેના કરતાં તત્ત્વદૃષ્ટિથી જોનાર જ્ઞાનીને સંસાર જેવો દેખાય છે તે જુદો છે. એમાં જ્ઞાનીનું દર્શન જ સાચું છે. જ્ઞાનીના દર્શન પ્રમાણે પૌગલિક સંબંધો અશાશ્વત છે અને એટલા માટે પણ તેમાં “મારાપણા'નો એટલે કે મમતાનો ભાવ રાખવા જેવો નથી. [૨૩] મહંતામત્તે સ્વત્વસ્વીત્વ_મહેતુ | भेदज्ञानात्पलायेते रज्जुज्ञानादिवाहिभीः ॥२२॥ અનુવાદ : જેમ રજુના જ્ઞાનથી સર્પનો ભય નષ્ટ થાય છે, તેમ ભેદજ્ઞાનથી સ્વત્વ (હુંપણું) અને સ્વકીયત્વ (મારાપણું) રૂપી ભ્રમના હેતુ એવાં અહંતા અને મમતાનો નાશ થાય છે. ' વિશેષાર્થ : અહંકાર અને મમકાર એ બે જીવને જમાડનારાં મોટાં તત્ત્વો છે. અહંકારમાં સ્વત્વ છે. હું પોતે' એવો અભિમાનનો ભાવ રહે છે. મમતામાં સ્વીય––“આ મારું છે' એવો ભાવ રહે છે. અહંકાર અને મમતા એ બંને દેહની સાથે સંકળાયેલાં છે. “આ દેહ તે મારો છે' એવો ભાવ જયાં સુધી રહે ત્યાં સુધી હું આવો ધનવાન, રૂપવાન, સત્તાશાળી છું;' “આ બધું મેં કર્યું; “મારા વગર કોઈથી થાય નહિ”“હું હતો તો જ આ બધું થયું. નહિ તો કશું થાત નહિ–આવાં આવાં અભિમાનનાં વચનો નીકળે છે. તેવી જ રીતે અન્ય માણસો અને પદાર્થો સાથે પોતાપણાનો દઢ ભાવ તે પણ મમતા છે. એને કારણે “આ ઘર મારું છે, આ મારી દુકાન છે, આ મારી મોટરકાર છે, આ મારી પત્ની છે, આ મારો દીકરો છે –એવાં એવાં મમતાભર્યા વચનો નીકળે છે. પણ જ્ઞાનીઓ કહે છે કે આ બધી ભ્રમજાળ છે. અજ્ઞાનની એ લીલા છે. એ માટે રજુ-સર્પનું દૃષ્ટાન્ત પ્રાચીન કાળથી જાણીતું છે. અંધારામાં દોરડું દેખાય, પણ તે હોય સર્પ અથવા સર્પ દેખાય પણ તે હોય દોરડું. પ્રકાશ થતાં તે ભ્રમ ભાંગી જાય છે. દોરડું હોય તો ભય ચાલ્યો જાય અથવા સાપ હોય તો ભયથી પોતે આઘો ભાગી અને આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન થાય તો તેની સાથે જ અહંતા અને મમતાનો વિલય થઈ જાય છે. માટે અહંતા અને મમતા એ ભેદજ્ઞાનનાં મોટાં શત્રુ છે અને આત્માર્થી દ્વારા એનો પરાજય થવો જ ઘટે. હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અવિનાશી, ત્રિકાળી ધ્રુવ એવો આત્મા છું. દેહ તે મારો નથી. દેહનાં સુખ તે મારાં નથી- આવી ભાવના વારંવાર ભાવતાં ઉપયોગ આત્મા તરફ વળે છે. સાધનાથી ભેદજ્ઞાન થવા લાગે છે. પરિણામે અહંકાર અને મમતા ક્ષીણ થતાં જાય છે. [૨૩૧] બ્રિતિતિ નિસાસા તત્ત્વીન્તજ્ઞાનસન્મસ્થી ! व्यासंगमेव नोत्थातुं दत्ते व ममतास्थितिः ॥२३॥ અનુવાદ : “આ શું છે ?’ એ પ્રકારની, તત્ત્વજ્ઞાનના વિષયમાં સન્મુખ થયેલી ૧૨૬ For Private & Personal Use Only Jain Education Intemational 2010_05 n International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy