________________
અધ્યાત્મસાર
પોતાના પતિને ભોજનમાં કશુંક ખવડાવી દેવાનું કોઈક બાવા-જતિ એને કહે તો તે કરવા પણ સ્ત્રી તૈયાર થાય છે. પોતાનો પતિ અન્ય સ્ત્રી તરફ જાય નહિ, પોતાને જ વશ રહે, પોતાનાં કામભોગની તૃપ્તિ થાય, પોતાની વસ્ત્રાલંકારની લાલસા સંતોષાય એ માટે સ્ત્રી પતિને કોઈક ઔષધિ ખવડાવવા તૈયાર થઈ જાય છે. અરે, કોઈ વખત જો સ્ત્રીને એમ કહેવામાં આવે કે અમુક ઔષધિ ખવડાવવાથી તારો પતિ બળદ થઈ જશે તો મોહાંધ બનેલી સ્ત્રી એમ પણ કરવા તૈયાર થાય છે. પરંતુ જો કામ પતી ગયા પછી બળદમાંથી પાછો પતિ બનાવવાની ઔષધિ કે મંત્રવિદ્યાની પોતાને જાણકારી ન હોય તો તેનો પહેલેથી તે વિચાર કરતી નથી. પરંતુ પછીથી પસ્તાય છે અને વલોપાત કરે છે. સ્ત્રી પોતાના હિતનો દીર્ધદષ્ટિથી પૂરો વિચાર કર્યા વિના માત્ર તત્કાલીન સ્વાર્થ સાધવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે તેની શક્યતાનો અહીં રૂપક દ્વારા ગ્રંથકારે ખ્યાલ આપ્યો છે.
આવી જ રીતે મમતા જ્યાં હોય ત્યાં સત્યાસત્ય વિવેક ચાલ્યો જતાં અવિદ્યા આવ્યા વગર રહેતી નથી. એ અવિદ્યા દ્વારા મમતારૂપી પત્ની પોતાના જીવરૂપી સ્વામીને કેવો કેવો ભાડે છે, તેને બળદિયા જેવો પશુ બનાવીને તેની પાસે કેવું કેવું કામ કરાવી લે છે તેનાં અનેક દશ્યો સંસારમાં નિતનિત જોવા મળે છે. માટે જ મમતારૂપી સ્ત્રીથી ચેતવા જેવું છે. | [૨૧૩] : પરમ યતિ ગાતે ચૈવ ઇવ દિા
__ ममतोद्रेकतः सर्वं संबंधं कल्पयत्यथ ॥५॥ અનુવાદ : જીવ એકલો જ પરભવમાં જાય છે અને એકલો જ ઉત્પન્ન થાય છે. તો પણ મમતાના આવેગથી તે સર્વ સંબંધો કલ્પે છે.
વિશેષાર્થ : માણસ એકલો સંસારમાં આવે છે અને એકલો જાય છે. આવી લોકોક્તિ ઘણી વાર સાંભળવા મળે છે, પરંતુ એની અસર જીવન ઉપર જેટલી થવી જોઈએ તેટલી થતી નથી. માણસ મૃત્યુ પામે છે એટલે કે પરભવમાં જાય છે ત્યારે તેની સાથે કશું જ આવતું નથી. મૃત્યુ વખતે સ્વજનો અને સંબંધીઓ રોકકળ કરે છે, પણ કોઈ સાથે આવવા તૈયાર નથી. માણસ એકલો જ પરભવમાં જાય છે. એની પાસે અઢળક લક્ષ્મી હોય, ઘર, મકાન, દુકાન, વૈપારધંધો, ભાતભાતનાં કીમતી વસ્ત્ર હોય, અલંકારો હોય, મોજશોખની ચીજવસ્તુઓ હોય, મોટરકાર વગેરે સુંદર આકર્ષક વાહનો હોય, એ બધાં સાથેનો સંબંધ આંખ મીંચાતાં એક ક્ષણમાં પૂરો થઈ જાય છે. એમાંનું કશું જ સાથે નથી આવતું. અરે, પોતાનો સુંદર, સૌષ્ઠવયુક્ત દેહ પણ સાથે નથી આવતો.
બાળક જન્મે છે ત્યારે પોતાની સાથે શું લઈને આવે છે ? એની મૂઠી વાળેલી હોય છે, પરંતુ તે ખાલી હોય છે. બાળક બે વસ્ત્ર પહેરીને પણ અવતરતું નથી. એવો જીવ જ્યારે મોટો થાય છે, સંસાર માંડે છે અને પાછો પરભવમાં જવાની તૈયારી કરે છે ત્યાં સુધીમાં એણે પોતાની મમતાનો કેટલો બધો વિસ્તાર કરી દીધો હોય છે ! કેટકેટલા સંબંધો એણે બાંધ્યા અને વિકસાવ્યા હોય છે ! ધનદોલત માટે કેટલો બધો પુરુષાર્થ એણે કર્યો હોય છે ! “મારું, મારું કરવાની વૃત્તિને કારણે જ આ બધું થાય છે. મમતા બહુ આવેગવાળી હોય છે. એનો ઊભરો જલદી શમતો નથી.
૧૧૬ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org