________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
અને પર્યાયાર્થિક એમ સર્વ નયનો લાભ લઈને તત્ત્વને પામવાનો પ્રયાસ કરવો જોઈએ. ‘ષડજીવનિકાય' એ સમાસયુક્ત શબ્દમાંથી પણ ‘છ’, ‘જીવ’, ‘નિકાય’ એ ત્રણમાંથી ફક્ત કોઈ પણ એકને જ પકડીને એકજ નયથી ગ્રહણ કરવા જતાં અર્થની વિસંગતિ આવશે. પદાર્થ સર્વ પર્યાયમય અથવા અનન્ત પર્યાયમય છે. એવું શ્રદ્ધાન ન હોય ત્યાં સમ્યક્ત્વ શુદ્ધ નથી હોતું.
જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટ થાય છે ત્યાં બાહ્ય પદાર્થોનો ત્યાગ તો આવે જ છે, પરંતુ એની સાથે તે પદાર્થો માટેની આસક્તિ પણ ચાલી જાય છે. મનથી પણ તે પદાર્થો માટેની ઇચ્છા કે વાસના ત્યાં રહેતી નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ ત્યાં ચાલ્યાં જાય છે. જ્યાં આત્મરમણતા આવે છે ત્યાં પરદ્રવ્ય કે પરભાવમાં ચિત્ત ખેંચાતું નથી. પછી તો એવી ઉચ્ચ દશા થાય છે કે ચિત્તને ત્યાંથી વાળવાનો પ્રયાસ કરવાપણું પણ રહેતું નથી. સહજપણે જ એ સ્થિતિ પ્રવર્તે છે.
આમ, અંતઃપ્રવૃત્તિના સાર રૂપ જે સમ્યક્ત્વ છે એ જ સમ્યજ્ઞાન (આ શ્લોકના અનુસંધાનમાં પર્યાયો વિશે વિશેષ વિચારણા હવે પછીના
[૧૯૧] યાવન્ત: પર્યયા વાનાં યાવન્તશ્નાર્થપર્યાઃ ।
साम्प्रतानागतातीतास्तावद्द्रव्यं किलैककम् ॥२३॥
અનુવાદ : વચનના વર્તમાન, ભૂત અને ભવિષ્યના જેટલા પર્યાયો છે તથા અર્થના વર્તમાન, ભૂત અને ભવિષ્યના જેટલા પર્યાયો છે, તે સર્વ મળીને એક દ્રવ્ય જાણવું.
વિશેષાર્થ : જગતમાં કોઈપણ એક દ્રવ્ય અનંત પર્યાયમય છે. પ્રત્યેક દ્રવ્યના વચન પર્યાયો ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની અપેક્ષાએ અનંત છે. તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યના અર્થપર્યાયો પણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની અપેક્ષાએ અનંત છે. દ્રવ્ય એક હોય પણ ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિએ, વચન પર્યાયની દૃષ્ટિએ અને અર્થપર્યાયની દૃષ્ટિએ, ભિન્ન ભિન્ન રીતે ઘટાવી શકાય છે. એમાં અસ્તિત્વ અને નાસ્તિત્વની દૃષ્ટિએ તથા ત્રણે કાળની દૃષ્ટિએ ઘટાવવા જતાં એક જ દ્રવ્યના અનંત પર્યાયો છે એવી પ્રતીતિ થશે.
[૧૯૨] સ્વાત્સર્વમયમિત્યેવં યુ સ્વપરવર્યયંઃ ।
અને એ જ સમ્યક્ચારિત્ર છે. શ્લોકોમાં કરવામાં આવી છે.)
अनुवृत्तिकृतं स्वत्वं परत्वं व्यतिरेकजम् ॥२४॥
અનુવાદ : એ જ પ્રમાણે એક જ દ્રવ્ય સ્વપર્યાય વડે અને પરપર્યાય વડે યુક્ત હોઈને સર્વ પર્યાયમય થાય છે. એમાં અનુવૃત્તિ વડે કરેલું તે ‘સ્વત્વ’ અને વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું તે ‘પરત્વ’ જાણવું.
વિશેષાર્થ : પ્રત્યેક દ્રવ્યમાં સર્વ સ્વપર્યાય હોય છે અને સર્વ પરપર્યાય પણ હોય છે. આથી તે
દ્રવ્યમાં સર્વ સ્વ-પર-પર્યાય હોય છે. આ કેવી રીતે સંભવે ? એનો ઉત્તર એ છે કે અનુવૃત્તિથી સ્વપર્યાયો છે અને વ્યતિરેકથી પરપર્યાયો છે. ઉદાહરણથી આ સમજાશે. પ્રાચીન પરંપરાનાં ઘટ-પટનાં (ઘડો અને વસ્ત્રનાં) ઉદાહરણ લઈએ. ઘટમાં ઘટત્વના સ્વપર્યાયો છે, કારણ કે ઘટમાં ઘટત્વની અનુવૃત્તિ છે, અર્થાત્
Jain Education International2010_05
૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org