________________
પિ૪
કારકિદી મેળવવા માટે ધન્યવાદ સાથે તેમની વિશિષ્ટ જ્ઞાનપિપાસાની અનુમોદના કરી હતી. આ વક્તાઓમાં મુખ્યતાએ
શ્રી શાંતિલાલ ઝવેરી, શ્રી રસીકલાલ માસ્તર, કાંદીવલી જેન સંઘના કાર્યકર્તા શ્રી હિંમતલાલભાઈ, કાગચ્છ સંઘના પ્રમુખ શ્રી મંગળદાસ કંપાણી, સેક્રેટરી શ્રી પ્રાણજીવનભાઈ અને આ સભાના મુખ્ય વક્તા શ્રી ચીમનલાલ પાલીતાણાકરે સાધ્વીજીઓમાં સમાયેલી અનુપમ શક્તિને પરિચય કરાવી સકળ સંઘ સમક્ષ કાળ પ્રભાવે આવરિત થયેલી એ શક્તિને પ્રગટ કરી જગતને લાભ આપવા અનુરોધ કર્યો હતો.
લેકાગક સંઘના પ્રમુખશ્રી મંગળદાસ કંપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મ. સા.ના બે ચાતુર્માસને અપૂર્વ લાભ અમે પૂર્વે મેળવી ચૂક્યા હતા. આ વરસે પણ લાભ આપવા અમે પૂજ્યશ્રીને વિનંતિ કરતાં શ્રી પાર્ધચંદ્રગચ્છ જૈન સંઘ મુંબઈ શાખાના માન્યવર પ્રમુખ મહેદય, સૌજન્યશીલ શ્રી સુંદરલાલ શેઠે અમને કહ્યું હતું કે “ પૂજ્યશ્રીના ચાતુર્માસને લાભ આ વરસે તમને આપવા માટે બનતે પ્રયાસ કરીશું ” ત્યારે અમે નિશ્ચિત બન્યા હતા. અમારી આ નિશ્ચિતતા ખરેખર સત્ય પુરવાર થઈ. જેને આપ સૌ આ ચાતુર્માસ દરમ્યાન વિવિધ પ્રકારની તપ, જપ, વ્યાખ્યાન પૂજા વગેરે ધર્મદ્યોતક કરણુઓથી જોઈ શક્યા હશે. ચાતુર્માસના પ્રવેશથી માંડીને આજ સુધી આ અમારૂં ધર્મ. સ્થાનક ધાર્મિક પ્રવૃત્તિથી સતત મઘમઘતું રહ્યું છે. માનવીને સંજીવન ગુટિકા જે રીતે નવું જીવન બક્ષે છે તેમ પૂ. શ્રી સુનંદાશ્રીજી મ.ની સંજીવની સમી અમૃતવાણી ભાવિકજનને જાગૃત કરી આત્મકલ્યાણના અમરપંથે પ્રયાણ કરાવે છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org