SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ વડગચ્છની વિભૂતિએ [ ૩૮૭ ] પૂ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના સમાગમ થતાં નાની યમાં વૈરાગી અની ખભાત શહેરમાં દીક્ષા લીધી અને શામજીભાઇ શ્રી સાગરચંદ્રમુનિ બન્યા. તેમના પઠન પાઠનમાં શ્રી જગતચંદ્રજી ગણીશ્વરજીએ અનુપમ સહાય કરી, તેથી તેએશ્રી આગમશાસ્ત્રાના પ્રકાંડ વેત્તા અન્યા. પોતાની આગવી જ્ઞાનશિકૃતથી રાજનગરમાં મળેલ મુનિસંમેલનમાં માનભર્યું સ્થાન મેળવી પહેલા અહેાંતેરની કમિટીમાં, પછી ત્રીશની કમિટીમાં અને છેલ્લે નવની કમિટીમાં પણ તેઓશ્રી જ્ઞાનપ્રભાથી ઝળકી રહ્યા. નવની કમિટીમાં આઠ ધુરંધર આચાર્યાં હતા ત્યારે શ્રી સાગરચંદ્રજી મુનિ પદ્મસ્થ ન હાવા છતાં નવમા સ્થાનમાં આવ્યા. એ મુનિસ'મેલનમાં તેમના સલાહ સૂચને ભારે કીંમતી થઈ પડયા હતા. ત્યારે તેમની જ્ઞાનપ્રતિભાથી આકર્ષાઈને અન્ય ગચ્છના અગ્રગણ્ય આચા અને આગેવાન શ્રાવકના અતિ આગ્રહથી તેમને આચાય - પદ્મથી ભૂષિત કરવામાં આવ્યા. પણ કમનસીબીના ચેાગે અલ્પ સમયમાં જ તેમને વિયેાગ સાંપડયો. શ્રી સાગરચદ્રસૂરીશ્ર્વરજી નીડર અને સત્યવતા હતા. બુલંદુ સ્વરે જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે શ્રોતાજના પર અનેરા પ્રભાવ પડતા અને સૌ ધર્માભિમુખ બની જતાં, અદ્યાપિ એ અજોડ રધર આચાય ય ભૂલ્યા ભૂલાતા નથી. આ વડગચ્છની વિભુતિના જેટલા ગુણ ગાઇએ તેટલા ઓછા છે. શાંત સ્વભાવી પુ. શ્રી પુનમચંદ્રજી ગણીના શિષ્ય સરલાત્મા અનન્ય ગુરુભક્ત પૂ. શ્રી ખાલચંદ્રજી મ. સા. ના વાત્સલ્ય ઝરતા ભાવ અને એમાં રહેલી મીઠાશ કેમ વીસરી શકાય ? સ્વભાવની શીતળતા એક અમૂલ્ય રસાયણ જેવી છે. એ શીતળતા ગુરુજના પાસે અનુભવવા મળે ત્યારે જીવન કૃતકૃત્ય બની જાય. પૂ. શ્રી ખાલચંદ્રજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy