________________
[ ૩૮૬ ]
શ્રી મહાવીર જીવનજ્યોત રાજને અદૂભુત સહકાર અને શુભાશિષ આપ્યા. તેમની સહાયથી શ્રી ભ્રાતૃચંદ્રજીમુનિ પ્રખર વિદ્વાન બની શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી તરીકે જગવિખ્યાત થયા. જ્યારે વિ. ઓગણીશમી સદીના અંતમાં અને વીશમી સદીની શરૂઆતમાં દરેક ગચ્છમાં સાધુઓ ગણ્યા ગાંઠયા જ હતા ત્યારે શ્રી કુશલચંદ્ર ગણીશ્વરજી જૈન જગતમાં એક નામાંકિત હતા. તેમના શિષ્ય પૂ. શ્રી દીપચંદ્રજી મહારાજ પ્રવતક થયા. | શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય પૂ. શ્રી જગતચંદ્ર ગણેશ્વરજી, પૂ. શ્રી પુનમચંદ્ર ગણીશ્વરજી, પૂ. શ્રી સાગરચંદ્ર સૂરીશ્વરજી વગેરે મૂખ્ય હતા.
પૂ. શ્રી જગતચંદ્રગણીશ્વરજી અત્યંત સરલતાની મૂતિ અને ભદ્રિક પરિણમી હોવાથી “બાવાજી”ના હુલામણું નામથી પ્રખ્યાત થયા. આજે પણ બાવાજીની યાદી જરાય ભૂલાતી નથી. પૂ.આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીની જયગાથામાં તેમનો પ્રશસ્ય ફાળો છે.
તેમણે પિતાના જીવનમાં વિવેક અને નમ્રતાના દીવડા પ્રગટાવી જાણ્યા હતા. અનન્ય ગુરુભકિત તેમનામાં જાગ્રત હેવાથી પૂ. શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી ગુરુદેવ તેઓશ્રીને જગાના વહાલસોયા નામથી બોલાવતા. “જગા” નામની બૂમ સાંભળે ત્યાં એ હાજર થઈ જાય, ગુરુની ઇષ્ટ વૈયાવચ્ચ ભક્િતમાં લાગી જાય.
શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી પૂર્વ અવસ્થામાં કચ્છ દેશના ભાડીયા ગામના વતની હતા. એ પ્રદેશમાં વિચરતાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org