________________
શિવાલન નિર્વાણ પછી વર્ષ
[ ૩૭૨ ]
શ્રી મહાવીર જીવનચેત હાથે પ્રવ્રજિત બન્યા. દશ વર્ષ સુધી તપ કરી કેવળજ્ઞાની તરીકે વિચરી મહાવીર નિર્વાણથી બે વર્ષ પહેલા ગુણશીલ ચૌત્યમાં માસિક સંલેખનાપૂર્વક મેક્ષમાં સીધાવ્યા. આ અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને શ્રી ઈદ્રભૂતિ ગૌત્તમના સગા ભાઈઓ હતા.
ચોથા વ્યક્ત ગણધર પચાસ વર્ષની વયે પાંચસો શિષ્યો સાથે પ્રભુચરણમાં દીક્ષિત બની બાર વર્ષ સુધી મુનિ ધર્મના પાલન પછી કેવળજ્ઞાનને વર્યા. અઢાર વર્ષ કેવલીપણે વિચરી પ્રભુના નિર્વાણ પહેલા એ જ વર્ષમાં માસિક અણુસણપૂર્વક ગુણશીલવનમાં એંશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષવાસી બન્યા.
પાંચમા ગણધર શ્રી સુધમ સ્વામી પચાસ વર્ષની વયે પાંચસે શિષ્યો સાથે પ્રભુ હસ્તે મુનિજીવન સ્વીકારી બેંતાલીશ વર્ષ સુધી છદ્મસ્થપણે વિચર્યા. દીઘજીવી હેવાથી પ્રભુએ ગણુપુરા શ્રી સુધર્માસ્વામીને સુપ્રત કરી હતી, તેથી અન્ય ગણુધરેએ પણ પોતાના અંત સમયે પિતાને ગણુ તેમને સુપ્રત કરેલ હતું. શ્રી મહાવીર નિર્વાણ પછી બારમે વરસે કેવળજ્ઞાન મેળવી આઠ વરસ કેવળીપર્યાય પાળી છે વરસની ઉમરે ગુણશીલ વનમાં શ્રી મહાવીર નિર્વાણ પછી વશ વરસે માસિક સંલેખના કરી નિર્વાણપદ પામ્યા.
છઠ્ઠા મંડિત ગણધર સાડાત્રણ શિષ્યો સાથે ત્રેપન વર્ષની ઉમરે પ્રભુના હસ્તે પ્રત્રજ્યા લઈ સડસઠમે વરસે કેવળજ્ઞાન પામી વ્યાસી વરસની વયે ગુણશીલ વનમાં માસિક સંખનાપૂર્વક નિર્વાણ પામ્યા.
સાતમા મૌર્યપુત્ર ગણધર સાડાત્રણસો શિષ્યો સાથે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org