SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ - [૩૫૮ ] શ્રી મહાવીર જીવન ણીય સમવસરણની રચના દેવેએ કરી. રત્ન મઢવા સિંહાસન પર આરૂઢ થઈ પ્રભુએ ચતુતિચૂરક એવા દાન, શીલ, તપ અને ભાવ રૂ૫ ચતુર્વિધ ધર્મની દેશના આપવી શરૂ કરી. પ્રભુનું આગમન અને સમવસરણની રચના સાંભળી અપાપાનગરીના હસ્તિપાલ રાજા સપરિવાર પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વંદન કરી અર્થગર્ભિત સ્તુતિપદોથી પ્રભુની સ્તવના કરી સભાસ્થાને બેસી પ્રભુની મંગલ દેશના સાંભળી, ધર્મદેશના સાંભળતાં હસ્તિપાલ રાજા આનંદવિભોર બન્યા. દેશના પૂર્ણ થતાં હસ્તિપાલ રાજાએ પ્રભુને બે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું: “પ્રભુ, મેં આજ રાત્રિએ ભય ઉપજાવે એવા આઠ સ્વપ્નો જોયા છે. એ વિચિત્ર સ્વપનોનું શું ફળ હશે?” અમી ઝરતા નયને પ્રભુએ આઠ સ્વપ્નના ફળકથનમાં ભાવિકાળની આગાહી કહી બતાવી ! હવે પછીને કાળ કે આવશે તેનું વિવેચન કરતાં પ્રભુએ કહ્યું: “રાજન ! તમે પહેલા સ્વપ્નમાં “જીર્ણશાળામાં હાથી જે” તેનો અર્થ એ છે કે જીર્ણશાળ જેવા ગૃહસ્થાવાસમાં રહેલા ધર્મરાગી આત્માઓ જાણતાં હોવા છતાં સંયમભાવી નહિ બને, કદાચ બનશે તે પણ તેનું યથાર્થ પાલન કરનારા સંયમધારીઓ બહુ ઓછા હશે !” ૮ બીજ સ્વપ્નમાં તમે “કપિને ચપળતા કરતે જે એના ફળ સ્વરૂપે કપિ જેવી ચપળતા કરનારા અને અલ૫સન્ધી સંયમધારીઓ શુદ્ધ સંયમધર્મની આરાધના કરવામાં આળસુ થશે. ચપળતા અને વાચાળતા એ બે અવગુણેના કારણે “પપદેશે પાંડિત્યં” જેવી વૃત્તિ રાખનારા થશે!” ત્રીજા સ્વપ્નમાં તમે “ક્ષીરી વૃક્ષને કાંટા જોયા, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy