________________
[ ૩પર ]
- શ્રી મહાવીર જીવન જ્યોત પ્રભુ મહાવીરના એ ત્રીશ વર્ષના ધર્મપ્રવર્તન સમયમાં જગતનો નારીવર્ગ પુરુષની પરતંત્રતારૂપ બેડીમાં જકડાઈ ભારે પરેશાની ભોગવી રહ્યો હતો ! પુરુષે પિતાના પાશવી બળથી નારીજાતિને વિડંબવામાં બાકી નોતી રાખી ! છડેચોક નારીબજાર ભરાતા, અને સ્ત્રીઓનું જાહેર લીલામ થતું !! સતીઓનું સતીત્વ લુંટાતું! નારીઓનું નારીત્વ ! પુરુષના પાશવીબળ તળે ચગદાયેલી નારીઓ પિતાની સ્વતંત્રતા ભૂલી ગઈ હતી ! સૌજન્યમૂર્તિ પ્રભુ મહાવીરે નારીજગતની વિડંબના જોઈ તેમનું હેતાળ હૈયું હલબલી ઊઠ્યું. પ્રભુએ જગતના ચોકમાં એક અનુપમ સત્ય રજુ કર્યું! પુરુષ અને સ્ત્રી, નર અને નારી આત્મસ્વરૂપે એક સરખા છે. પુરુષ માત્ર પ્રશંસનીય નથી ! નારી માત્ર નિંદનીય નથી ! પુરુષ આત્મસ્વરૂપે આત્મા છે, નારી પણ આત્મસ્વરૂપે આત્મા છે ! વ્યક્તિ નિંદનીય નથી પણ વ્યકિતમાં રહેલી વાસના નિંદનીય છે! અશુભ વૃત્તિ નિંદનીય છે! પાશવતા નિંદનીય છે! જેમ પુરુષ પિતૃપદે પૂજનીય છે. ભ્રાતૃ સંબધે માનનીય છે. પતિપદે આદરણીય છે, તેમ સ્ત્રી માતૃપદે જગદંબા સ્વરૂપે પૂજનીય છે, ભગિની સ્વરૂપે માનનીય અને પત્નીના નમણું સ્વરૂપે નમનીય છે. માતા, ભગિની અને નારી એ ત્રણે સ્વરૂપે પવિત્ર છે. માતાનું વાત્સલ્ય, બહેનીને નિર્મળ નેહ અને પત્નીનું સમર્પણ કોના દિલને ડેલાવ્યું નથી?
તીર્થકરપદે બિરાજતા જિનેશ્વરને જન્મ આપનાર નારી ત્રિજગજનેતા તરીકે પૂજનીય છે. પુરુષપદનું અંતેમ શ્રેય તીર્થકરત્વમાં સમાયેલું છે તેમ નારીપદનું અંતિમ શ્રેય તીર્થકરોની જનેતા બનવામાં સમાયેલું છે. ધર્મની આરાધના કરવા માટે પુરુષ અને સ્ત્રી બંનેમાં સમાન
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org