________________
આ ગચ્છમાં મૂર્તિપૂજક અને પાટપૂજક એવી બે માન્ય. તાઓ પ્રવર્તે છે. પ્રણાલિકાઓ તે લગભગ મૂર્તિપૂજક સમુદાય જેવી પળાય છે. આ ગચ્છના પ્રારંભથી જ પર્યુષણના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર અને શ્રી બારસાસ્ત્રનું વાંચન થાય છે. પોથીને વરઘોડે (જ્ઞાનયાત્રા) દબદબાભર્યા કાઢવામાં આવે છે. છેલ્લા પચીશ વર્ષથી મહાવીર જન્મવાંચનના દિવસે ચૌદ સ્વપ્ન ઘીની બેલીપૂર્વક ઉતારવામાં આવે છે, તેમ જ ઘેડીયાપારણું પણ ઠાઠથી પધરાવવામાં આવે છે. આવી દેરાવાસી સંપ્રદાયને મળતી પ્રણાલિકા ચાલતી હોવાથી ચાતુર્માસમાં ઘણી સરળતા રહે છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીઓ, સેક્રેટરીઓ વગેરે ઘણા ઉદાર મનવાળા છે. આથી કઈ જાતના ભેદભાવ વિના કચ્છી, ગુજરાતી, કાઠીઆવાડી સહુ પોતપોતાની માન્યતા મુજબ આરાધના કરી આનંદ મેળવી શકે છે.
અલૌકિક થાતુર્માસઃ
ઉપરોક્ત નિર્ણય મુજબ શ્રી કાગચ્છ જૈન સંઘના કાર્ય કર્તાઓએ શ્રી પાર્ધચંદ્ર ગ૭ સ્થવર પરમ વંદનીય પૂજ્ય ગુરુદેવ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ સા૦ના આજ્ઞાવર્તિની તથા જ્ઞાનમહોદયા પૂ. પ્રવતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ સાહેબના શિષ્યરત્ન, વ્યવહાર વિચક્ષણ, ઉદાર હૃદયી, આગમપ્રજ્ઞા અને પિતાની આગવી સત્વશીલ જ્ઞાન પ્રતિભાથી સુપ્રસિદ્ધ પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મ. સાહેબ અને તેમના પરિવારની ગુણલાઘા સાંભળી પ્રમુદિત ચિત્તે પ્રથમ ચાતુર્માસને લાભ આપવા માટે પૂજ્યશ્રીને ખૂબ આગ્રહભરી વિનંતી કરી. પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ પણ ગુરુપરંપરાથી સંપ્રદાયભેદના વિરોધી હોવાથી મુંબઈ કોટ વિસ્તારના તદ્દન અજાણ્યા હેવા
ભળી છ મતિ છે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org