SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૦ ] શ્રી મહાવીર જીવનત છેલ્લી ઈચ્છા એવી છે કે મારા હાથ અને પગને મજબુત દોરીથી બાંધી મારા મોઢા પર તમારે ત્રણ વાર થુંકવું. પછી દોરીથી મારા શરીરને ઢસડી શ્રાવસ્તીના ચેક અને બજારમાં ફેરવજો અને લોકોને સત્ય વસ્તુનું ભાન કરાવવા મોટેથી ઉદૂષણ કરજે “આ મંખલીપુત્ર ગોશાળા મરી ગયો ! સર્વજ્ઞ હેવાને ઢાંગ કરનાર, શ્રમણઘાતક, ગુરુદ્રોહી ગશાળો મરી ગયો! મહાવીર સાચા સર્વજ્ઞ છે, અસત્યવાદી ગશાળો પિતાના પાપે મરી ગયો !” આ મારી હૃદયની અંતિમ ઈચ્છા છે. મારા આદેશ પ્રમાણે કરવા માટે તમે સોગંદ લીધા છે. મારી આત્મશાંતિ માટે તમારે એ પ્રમાણે કરવું જ પડશે.” શિષ્યવર્ગ પણ મૂઢ બની ગુરુની કહાની સાંભળી રહ્યો. અશ્રુભરી આંખે ગુરુ આજ્ઞા સ્વીકારી રહ્યો! પશ્ચાતાપની આગમાં ગોશાળાના ઘણા અશુભ કર્મો બળી ગયા. મહાવીરના ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગતાં અંત સમયે તેના અંતરમાં સમક્તિ દીપક પ્રગટી ચૂક્યો. એ સમકિત દીપના અજવાળામાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ખંખેરી નાખ્યું અને સૌમ્ય બની આત્માને અજવાળી નાશવંત દેહને છેડી અશ્રુત દેવલોકમાં દેવત્વ પામે. • તેના શિષ્યવગને ગોશાળાના મરણનું દુઃખ તે લાગ્યું પણ તેની અંતિમ આજ્ઞાપાલન કરવાનું તેના કરતાં પણ વધુ દુઃખદાયક લાગ્યું ! ગુરુની અવહેલના પિતાના હાથે કેમ થાય! અને વચનબદ્ધ હોવાથી આજ્ઞા માન્યા વગર છુટકો ન હતે. ઘણે વિચાર કરી તેમણે ઉપાય શોધી કાઢ્યો. ભાંડશાલાને દરવાજો બંધ કરી તેના વિશાળ ચેકમાં શ્રાવસ્તીનું ચિત્ર દોર્યું. પછી ગોશાળાના આદેશ અનુસાર તેના નિજીવ દેહને ચિત્રાંકીત શ્રાવસ્તીના કલ્પિત માર્ગ પર ફેરવી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy