SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ જય જયકાર | [ ૨૮૧ ] “અગ્નિહોત્રની કિયા જીદગીભર કરવી” એ વચનથી તમે એવી તારવણી કરી છે કે અગ્નિહોત્રની ક્રિયા હિંસાજન્ય હોવાથી તેમાં કોઇને ઉપકારનું કારણ હોવાથી દોષ મિશ્રિત છે. તેથી એવી શુભ અશુભ ફળ દેનારી ક્રિયા કરનાર આત્મા સ્વર્ગ મેળવી શકે પણ મોક્ષની પ્રાપ્તિ ન થઈ શકે. આ કિયા જીવનભર કરનાર આત્માને મોક્ષ માટે આરાધના કરવાને સમય બાકી રહેતું નથી. તેથી મેક્ષ નથી એવું સિદ્ધ થાય છે; તેમ વળી બીજા વાક્યમાં પરબ્રહ્મને સત્યજ્ઞાન તરીકે અને અપર બ્રહ્મને અમુક્ત (સંસાર) અવસ્થા તરીકે દર્શાવી છે પણ એ દુર્ણાહ્યા હોવાથી તમે સંશયમાં પડ્યા કે મોક્ષ છે કે નહિ? પણ શાસ્ત્રમાં જે બતાવ્યું છે તે તમે યથાર્થ સમજ્યા નથી. વાત એમ છે કે સ્વર્ગની ઈચ્છાવાળા આત્માએ અગ્નિહોત્ર કરે, અને મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષસાધક ક્રિયા કરવી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષમાર્ગના સાધન છે. એના વિશિષ્ટ પ્રકારના આરાધનથી આત્મા કમરહિત બનીને મુક્તદશાને મેળવી મુકિતગામી બની શકે છે.” એવું સ્પષ્ટ નિરૂપણ પ્રભુના મુખથી સંપાદન કરી પ્રભાસ પંડિત પણ પ્રભુના અગીયારમા શિષ્ય તરીકે સંયમી બની સપરિવાર પ્રત્રજિત થયા. પ્રભુ મહાવીરના મુખથી ધર્મ પ્રવચન સાંભળી એક જ દિવસમાં ચાર હજાર ચાસે ને અગીયાર બ્રાહ્મણેએ પ્રતિબંધ પામી નિત્થધર્મને સ્વીકાર કરે. ઈદ્રભૂતિ વગેરે મૂખ્ય અગીયારે વિદ્વાન શિષ્યને સમૂદાયના નાયક બનાવ્યા, એટલે ગણધર પદથી વિભૂષિત કર્યા. તેમ જ તેમના વિદ્યાથીમંડળોને સૌ સૌને શિષ્ય તરીકે સ્થાપન કર્યા. એ સમયે સમયજ્ઞ ઈન્દ્ર મહારાજ સુગંધી ચૂર્ણ ભરેલે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy