SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬૬] શ્રી મહાવીર જીવનત અને પાછે જઉં તે પગ થરથરે છે ! કરવું કેમ ? જે દેવ કરે ને હું આ સર્વજ્ઞને જીતી લઉં તે મારી કીતિ દીગંતમાં રેલાય ! “હે પરમેશ્વર ! મારી લાજ રાખવી તમારે હાથ છે” એવી પ્રાર્થના કરતાં ઇન્દ્રભૂતિ અપલક નેત્રે મહાવીરને નીહાળી રહ્યા. અરે મહાવીરના પ્રથમ દર્શને જ તેમના પ્રત્યે કઈ અજબગજબનું આકર્ષણ જાગી રહ્યું! “આજે મને આમ કેમ થાય છે! શું મહાવીર પ્રત્યે મને ભવભવની પ્રીતિ ઉભરાણી છે કે પછી એ ઈન્દ્રજાલની કોઈ રમત છે ? પણ અહીં કોઈ જાતની કૃત્રિમતા દેખાતી નથી ! આડંબર દેખાય છે પણ મિથ્યાડંબર નથી ભારતે !” ચારે બાજુ નજર ફેરવતાં દેવ, મનુષ્ય અને તિર્યંચનાં મુખ પરના ભાવ જોયા. સૌ પ્રસન્ન હૈયે ઝુલી રહ્યા હતા ! અત્યાર સુધી પોતાની બુદ્ધિ અને પંડિતાઈ પર મુસ્તાક રહેનાર ઈદ્રભૂતિ આજે મુરજાઈ ગયા ! ભારે વિમાસણમાં પડી ગયા ત્યાં તે તેમના સતેજ કાને એક મંજુલસ્વર અથડા. “હે ઇન્દ્રભૂતિ ગૌત્તમ,! તમે ભલે આવ્યા. તમારું સ્વાગત હો.” મહાવીર કર્ણપ્રિય અવાજ કર્ણચર થતાં જ ઇન્દ્રભૂતિને જાગેલા અજબ આકર્ષણમાં ઓર વધારે થયે! છે. કદાચ કાચબાની પીઠે વાળ ઉગે, વંધ્યાને છે. પુત્ર થાય, આકાશમાં પુષ્પ ઉગે, આ અશક્ય છતાં શક્ય બની જાય, પણ ભક્તિ વગર ભવસાગર કદાપિ તરી શકાતું નથી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy