SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જય જયકાર [ ૨૫૯ ] પ્રગટી ન હોવાના કારણે એ જ્ઞાનનું પાચન કરી શક્યા ન હતા. આથી એક એક પદાર્થમાં શંકાશીલ હોવા છતાં દરેક પંડિતે પિતાને સર્વજ્ઞ માનતા હતા ! દિલની શકાએનો પરસ્પર વિનિમય કર્યો હોત તે એ શંકા જરૂર દૂર થઈ શકી હેત ! પણ કોણ કોને પૂછે? પૂછવા જાય તે પિતાને સવાપણામાં ખામી આવી જાય ! ! ! આ અગ્યારે પંડિતે વેદપારગામી તેમ યજ્ઞકિયા કરાવવામાં નિષ્ણાત હતા. સેંકડો વિદ્યાર્થીગણથી પરિવરેલા એ પંડિતે યજ્ઞક્રિયામાં મંત્રાક્ષરેપૂર્વક વેદમંત્રોને બોલતા દશનાથે આવનાર જનતાને આશ્ચર્યમુગ્ધ બનાવી અપાપાનગરીમાં ધાર્મિક વાતાવરણ જમાવ્યું હતું. એટલું જ નહિ પણ એ નગરીની આસપાસ સેંકડે ગાઉ સુધી રહેલા ગામડાઓ અને નગરમાં આ યજ્ઞક્રિયાનો પડઘો પડ્યો હિતે ! અત્યાર સુધી જનતા યજ્ઞને ધર્મ અને બ્રાહ્મણને ધર્માવતાર માની પૂજતી હતી. એ બ્રાહ્મણના વાક્યોને વેદવાક્ય માની એ કહે તે પ્રમાણે કરવા સૌ કોઈ તૈયાર હતા. જો કે સંસ્કૃત ભાષા સમજનાર વ્યક્તિએ બહુ અ૯૫ હતી! પણ બ્રાહ્મણોને સંસ્કૃત ભાષા પ્રિય હતી. તેથી પ્રવચન સંસ્કૃત ભાષામાં થતા. આમ જનતા સંસ્કૃત ભાષા ન સમજી શકતી હોવાના કારણે ધર્મને ફેલાવે છે તે. છતાં સંસ્કૃતપ્રિય બ્રાહ્મણે પોતાની પંડિતાઈ અને મેટાઈને ટકાવવા પિતાનો જ ઠેકે રાખતા ! આ યજ્ઞમાં દૂર દૂરથી નરનારીઓ દર્શનાથે આવી રહ્યા હોવાથી અને અપાપાનગરીના લેકે પણ યજ્ઞક્રિયામાં સતત હાજર રહેવાથી યજ્ઞમંડપમાં ધામધૂમ મચી પડી હતી. સોમિલ આયને હરખ માતો ન હતો. એ ધનાઢ્ય બ્રાહ્મણ આ યજ્ઞમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy