________________
જય જયકાર
[ ૨૪૯ ] (૬) પ્રભુના વિહાર સમયે દેવતાઓ નવનિત જેવા મૃદુ અને સુવર્ણમય અભિનવ નવ અચિત્ત કમળોની રચના કરે. વારા ફરતી બે કમળ પ્રભુના ચરણ નીચે ગઠવાતા જાય. ક્રમસર બે બે આગળ આવતા જાય અને આગળના પાછળ ફરતા જાય. તેના પર ચરણ સ્થાપી પ્રભુ વિહાર કરે.
(૭) પ્રભુની દેશના સમયે દેવતાઓ દિવ્ય કાંતિમય એવા સમવસરણની રચના કરે છે. એક જન પ્રમાણ ભૂમિમાં રચાયેલ સમવસરણના ત્રણ ગઢ હોય છે. તેમાં પહેલે રત્નમય ગઢ મણમાણેકના કાંગરાથી યુક્ત વૈમાનિક દેવે રચે, બીજે રત્નમય કાંગરાથી યુક્ત સુવર્ણનો ગઢ
તીષી દેવ રચે, અને ત્રીજે સેનાના કાંગરાવાળે રૂપાનો ગઢ ભવનપતિ દેવે રચે. દેએ રચેલા આ સમવસરણની શોભા અનેરી હોય છે.
(૮) એ સમવસરણમાં જ્યારે પ્રભુ પૂર્વાભિમુખ બિરાજમાન થાય ત્યારે તેમના પુણ્ય પ્રભાવથી જ દેવતાઓ અન્ય ત્રણ દિશાઓમાં પ્રભુના આકાર જેવા ત્રણ પ્રતિબિંબો છત્ર ચામર સહિત રચીને સ્થાપે. ત્યારે સ્વમુખે દેશના ફરમાવતાં પ્રભુ જાણે ચતુમુખે દેશના આપતા હોય એવું લાગે ! પ્રભુ અને પ્રભુના પ્રતિબિંબ વચ્ચેના ભેદને શ્રોતાજનો પારખી ન શકે ! ચારે તરફથી નીકળતા એક સરખા ધવનીથી પ્રભ પિતે જ ઉપદેશી રહ્યા હોય એવું લાગે ! આથી “પ્રભ પ્રતિમા પ્રભુ સારિખી” એવું જે કહેવાય છે તે સાચું જ છે. પ્રભુના આ અતિશયથી મૂર્તિપૂજા સિદ્ધ થાય છે.
(૯) પ્રભુ સમવસરણમાં બિરાજમાન થાય ત્યારે દેવ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org