SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાની અંતિમ ક્ષણે [ ૨૪૧ ] અન્ન અને જળ વિના ઘણું દિવસે પસાર કરી શકે એ નિર્વિવાદ છે. પ્રભુએ દીક્ષા જીવનના પ્રથમ ચાતુર્માસમાં શૂલપાણિ યક્ષના મંદિરમાં માત્ર બે ઘડી એટલે અડતાલીશ મિનીટ જેટલે જ સમય ઉંઘ કરી છે. રોજના કલાક સુધી ઉંઘનારા આપણને સહજ પ્રશ્ન થાય કે ઉંધ્યા વગર કેમ ચાલે? એ પ્રશ્નન પણ સમજવા જેવો છે. નિદ્રા કરવી એ પગલિક ધર્મ છે. જ્યારે આત્માનો ધર્મ ઉજાગર દશા છે. મેહનીય અને દર્શનાવરણીય કર્મના ઉદયથી ઉંઘ આવે છે. એ કમને જેટલો ઉદય વધારે તેટલી ઉંઘ વધારે ! એ કર્મ જેમ જેમ ક્ષીણ થતું જાય તેમ તેમ પૌદૂગલિક ભાવ ઘટતું જાય અને આત્મિક ભાવ જાગ્રત થતું જાય. એ આત્મિક ભાવ એ જ ઉજાગર દશા ! કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ ઉજાગર દશા જાગ્રત હોવાથી બિલકુલ ઉંઘવાનું હોતું નથી. પ્રભુ મહાવીરને મોહનીય અને દર્શનાવરણીય કર્મને પશમ હેવાથી ઉજાગર દશાને પ્રાપ્ત કરી હતી. તેથી તેઓ રાત દિવસ ધ્યાનારૂઢ જ રહેતા. તપ અને ધ્યાનબળથી આત્મવીર્ય પૂર્વક કર્મરાજા સામે સાડાબાર વર્ષ અને એક પક્ષ સુધી ઝઝુમ્યા. જન્મથી જ ત્રણ જ્ઞાનના અધિપતિ હોવાથી જીવ અજીવ વગેરે તત્ત્વનું ચિંતન કરતાં પ્રભુ પુણ્ય પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ રેકીને સંવર કરીને આશ્રવના દરવાજા સદંતર બંધ કરી દીધા હતા. ઉદય અને સત્તામાં રહેલા કર્મો તપ અને ધ્યાનથી ઊંદિરણ કરી સંપૂર્ણ નિર્જરાના ભાગીદાર બની ભવભવના સંચિત કરેલા પુરાણું કર્મો નિર્મૂળ કરી નાંખ્યા. પંચસમિતિ અને ત્રણ ગુણિરૂપ અષ્ટ પ્રવચન માતાના અવલંબનમાં રહી અઢાર પાપસ્થાનકોમાંથી એકે પાપ કદિ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy