________________
[ ૨૪૦ ]
શ્રી મહાવીર જીવન નાના ઉપવાસ, બે વાર અઢી માસના ઉપવાસ, છ વાર બે મહિનાના ઉપવાસ. બે વાર દોઢ મહિનાના ઉપવાસ, બાર માસ ક્ષમણ, બહેતર અર્ધમાસ ક્ષમણ, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા, એ ત્રણે પ્રતિમાઓને સળંગ સળ દિવસન તપ, બાર વખત અઠ્ઠમ તપ, અને બસને ઓગણત્રીશ છડું, આ સર્વ તપસ્યાના દિવસો ચાર હજાર એક સે ને પાંસઠ થયા. એટલે પ્રભુએ (૪૧૬૫) ઉપવાસ કર્યા. આ તપના પારણાના દિવસો સર્વે મળીને ત્રણસો ઓગણપચાસ થયા. પ્રભુએ છઠ્ઠથી ઓછો તપ કર્યો નથી. કોઈ દિવસે એકાંતરે કે એક સાથે બે દિવસ પણ આહાર કર્યો નથી. બધા ઉપવાસો ચેવિહાર એટલે પાણી વિનાના કર્યા છે. તેમ પારણના દિવસે આહાર કરતી વખતે પણ પાણી વાપર્યું નથી એ ઉલ્લેખ મળે છે.
સ્વભાવિક પ્રશ્ન થાય કે આટલા બધા દિવસે પાણી વિના કેમ રહી શકાય ? એનો ઉત્તર એ માની શકાય, કે શ્રી તીર્થકરોના શરીરની રચના જ અદ્વિતીય પ્રકારની હોય છે. વાષભનારા સંઘયણ હોવાથી મનની સ્થિરતા પણ ઉત્કૃષ્ટ કેટીની હોય છે. આહાર સંજ્ઞા અલ્પ પરિણમી હોવાથી છાએ કરેલ તપસ્યાનું કષ્ટ તેઓ સહેલાઈથી સહન કરી શકે છે. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી તે દિવસથી જ પ્રભુની દૃષ્ટિ કર્મક્ષય તરફ વળેલી હેવાથી તપ અને અભિગ્રહથી સઘળા કમ નિર્જરી નાખ્યા. એ મહાવીરપ્રભુના પગલે ચાલી વર્તમાન સમયમાં પણ શરીર બળ અ૫ હેવા છતાં ઉગ્ર તપસ્યા કરનાર આત્માઓ ટિગોચર અને કર્ણગોચર થાય છે. એટલે અનંતબલી આત્મા શકિત ફેરવે તે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org