SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરને મળ્યા ગોશાળા [ ૧૯૭ ] "" રહી શકું એમ નથી. હું ખાઈપીને સારી રીતે રહેવાની આશાથી આપની પાસે આવ્યા હતા, આપ મારી સંભાળ તેા નથી રાખતા પણ મારી ઉપેક્ષા કરે છે. કેાઇ મને મારે તા પણ તમે મારો બચાવ નથી કરતાં, તેમ મનમાન્યા ભાજન તે દૂર રહેા પણ ઘણીવાર મારે ભૂખ્યા રહેવું પડે છે. હું જાઉ છુ. પ્રભુ તરફથી જવાઞ ન મળતાં ગેાશાળા પ્રભુને છેડી રાજગૃહી તરફ જતાં વચમાં એક મેટા જગલમાં આવી ચડયો. એ અટવીમાં પાંચસે ચાર રહેતા હતા. તેમણે નગ્ન ગેાશાળાને આવતા જોતાં ચર પુરુષની શકાથી તેને પકડીને ક્રમશઃ તેના ખભાપર એસી ચેરાએ ગેાશાળાને ખૂબ વિડંબના પમાડી, આથી ગોશાળા થાકીને લેાથપથ થઇ વિચારવા લાગ્યાઃ “ પ્રથમ કવલે મક્ષિકા ની જેમ આજે જ પ્રભુથી જુદો પડયો અને આજે જ મારે મરણાંત કષ્ટ વેઠવું પડયું : “ આના કરતાં તો પ્રભુની સાથે જ રહેવું સારૂં છે. ત્યાં કેાઈને કેાઈ મચાવનાર મળી જાય. એમ વિચારી ગેાશાળા પ્રભુને શોધવા માટે ભમવા લાગ્યો. "" "" સત્ત્વશીલ પ્રભુ વિચરતાં વિશાખાનગરીમાં લુહારની શાળામાં પધાર્યા. ત્યાં છ માસની માંદગીમાંથી ઉઠેલા લુહાર તે જ દિવસે કામ પર ચડવા પેાતાની શાળામાં આવ્યેા. ત્યાં પ્રભુને જોઇ અપશુકનની બુદ્ધિથી હાથમાં ઘણુ ઉપાડી પ્રભુને મારવા દોડયો. એ જ સમયે પ્રભુ ક્યાં હશે ? એ જાણુવા ઉપયોગવંત બનેલા સૌધર્મેન્દ્રે આ દૃશ્ય જોયુ, જલ્દી ત્યાં આવ્યા. લુહારને શિક્ષા કરી અને પ્રભુને નમસ્કાર કર્યા. મારનાર અને રક્ષણ કરનાર મન્ને પર સમાન ભાવ રાખતાં વિશાળ હ્રદયી પ્રભુ ગ્રામક ગામે પધારતાં બિભેલક નામના યક્ષે અત્યંત અનુરાગથી પ્રભુની પૂજા કરી. Jain Education International2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy