________________
[ ૧૭૨ ]
શ્રી મહાવીર જીવન
યક્ષે ચાર પ્રહરથી કંઈક ઓછા સમય સુધી કરેલી કદર્થનાથી શ્રમિત થયેલા પ્રભુને તે સમયે ઊભા ઊભા જ એક અંતમુહૂર્ત નિદ્રા આવી ગઈ. નિદ્રિત અવસ્થામાં પ્રભુએ દશ સ્વપ્ન જોયા.
સૂર્યોદય થતાં જ ઈન્દ્રશમાં પૂજારી, ઉત્પલ નિમિત્તક અને ગ્રામજનતાના ટોળેટોળા યક્ષમંદિરમાં ઉભરાયા. અક્ષતાંગવાળા અને ઉત્તમ દ્રવ્યોથી પૂજિત થયેલા પ્રભુને જોઈને બધા ખૂબ નવાઈ પામ્યા, આનંદિત થયેલા એ લેકે પણ પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરી પ્રભુનો જય જયારવ કરવા લાગ્યા.
ઉત્પલ નિમિત્તક પ્રભુના ચરણસ્પર્શનપૂર્વક નમસ્કાર કરી પ્રભુને કહેવા લાગ્યોઃ “હે પ્રભુ! નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી મેં જાણ્યું છે કે પ્રભાત સમય પહેલાં નિદ્રિત અવસ્થામાં આપે અતિ ઉત્તમ દશ સ્વપન જોયા છે. તેને સંપૂર્ણ અર્થ આપ જાણે છે, છતાં ભકિતવશથી હું આપને જણાવું છું.”
“પ્રથમ સ્વપ્નમાં આપે તાલપિશાચને હણ્યો. તેથી આપ ટુંક સમયમાં મેહપિશાચને હણશે. બીજા સ્વપ્નમાં એક વેત પક્ષીને આપની સેવા કરતું જોયું. તેથી આપ હંમેશ શુક્લ ધ્યાનમાં સ્થિર બનશે. ત્રીજા સ્વપ્નમાં વિચિત્ર કેકીલ પક્ષીને જોયું, તેથી આપ દ્વાદશાંગી વિસ્તારશે. ચેથા સ્વપ્નમાં આપે જોયેલી માલાયુગ્મનો અર્થ હું જાણતું નથી. પાંચમા સ્વપ્નમાં આપે ગાયોના સમૂહને જોયો. તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org