________________ પ્રથમ દિવસ...! પ્રથમ વરસ....! [ 167] લાગ્યા! કેઈ યુવતીએ કામદેવથી અધિક સ્વરૂપવાન એવા પ્રભુ પાસે શરમ મુકી અનુચિત માગણીઓ કરતી રહેતી....! છતાં નિર્મોહી પ્રભુ એક શબ્દ પણ ઉચાર્યા વગર આત્મભાવમાં સ્થિર બની ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એ રીતે સંયમી જીવનના ચાર મહિના વીત્યા પછી એક વખત મેરાક ગામની સમીપે આવ્યા. એ ગામની બહાર દુઈઝંત તાપસ પર્ણકુટીર બાંધીને રહેતા હતા. એ કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હોવાથી પ્રભુને સારી રીતે ઓળખતે હતો. પિતાના મિત્રના પુત્રને રાજકુમાર તરીકે નહિ પણ એક ત્યાગી તરીકે તેમના આશ્રમના અતિથિ બનીને આવેલા જોઇ કુલપતિને ખૂબ આનંદ થયે, અને પ્રભુને ભેટી પડ્યો ! પૂર્વ અભ્યાસથી પ્રભુએ પણ તેને મળવા માટે હાથ લાંબે ! કુલપતિએ પ્રભુને રહેવાની વિનંતી કરતાં તેને સ્વીકાર કરી મહાવીર એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. પ્રાતઃકાળે વિહાર કરતાં પ્રભુને ત્યાગી સંત તરીકે બહુ માનથી ચાતુર્માસ કાળ પોતાની ઝુંપડીમાં પસાર કરવાની કુલપતીએ વિનંતિ કરી. પ્રભુ વીતરાગ હોવા છતાં તેની પ્રાર્થના સ્વીકારી આગળ ચાલ્યા. ગ્રીષ્મકાળ અન્યત્ર પસાર કરી ચાતુર્માસના સમયે કુલપતિના વચનને માન આપી મેરાકગ્રામે ફરી પધાર્યા. આનંદિત થયેલા કુલપતિએ ભત્રીજાપણના સ્નેહથી પ્રભુ શાંતિપૂર્વક ચાતુર્માસ નિર્ગમન કરી શકે એ હેતુથી એક સ્વચ્છ અને સુંદર ઘાસનું ઘર પ્રભુને રહેવા આપ્યું. કુલપતિની આજ્ઞા મેળવી જાનુ પર્યત લાંબી ભુજાવાળા પ્રભુ મનનું નિયંત્રણ કરી અષાડ શુકલા પૂર્ણિમાના દિવસે પંદર ઉપવાસને સંલ્પ કરી પ્રતિમા ધરીને કાયેસંધ્યાનમાં સ્થિર થયા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org