________________ [ 140 ]. શ્રી મહાવીર જીવનત મૂકતાં ગયા ! અને દેવકના સુખ ભોગવી ત્યાંથી અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી નિર્મલચારિત્રધર્મની આરાધના કરી કેવળજ્ઞાન મેળવી મુક્તિસ્થાન મેળવશે. તેમના સ્વર્ગગમનથી આખા ક્ષત્રિયકુંડ નગરમાં શોક છવાઈ ગયે ! નગરજનો પિતાના પ્રિય રાજવીના અને પ્રિય રાજમાતાના ગુણગાન ગાતાં રહ્યા ! મહાસતી ચેષ્ટાદેવી અને યશોદાદેવી માતપિતા તૂલ્ય સાસુ સસરાને ક્ષણભર વિસરતા નથી. બન્ને ભાઈઓને માતપિતાને વાત્સલ્યભાવ ભૂલાત નથી. દાદા દાદીને યાદ કરતાં પ્રિયદર્શનાકુમારીના અને માતપિતાના મીઠા સ્મરણમાં ઝુલતાં સુદર્શનાના આંસુ સૂકાતા નથી. વર્ધમાનકુમારે બધાને સાંત્વન આપ્યું; સંસારની અસારતા સમજાવી. વર્ધમાનના આશ્વાસનથી દરેકના મન શાંત થયા. નંદીવર્ધન રાજાએ રાજ્યધૂરા હાથમાં લીધી અને પિતાની માફક લોકપ્રિય બની રહ્યા. માતપિતાના મૃત્યુગમન થતાં વર્ધમાનકુમારને માર્ગ મોકળે છે. પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. અત્યાર સુધી રાગના સાગરમાં નિમગ્ન લાગતાં વર્ધમાનકુમારની નસેનસમાં વિરાગની સાધના સમાયેલી હતી. હવે એ સાધનાને વિશેષ ઓપ આપવાનો સમય આવી પહોંચ્યો. એકની એક પુત્રી પ્રિયદર્શનાને પિતાની જ બેન સુદર્શનાના કુળવાન અને ગુણયલ સુપુત્ર જમાલી સાથે મહોત્સવ પૂર્વક પરણાવી હતી. યાદાદેવીને પુરેપુરા સમજાવી લીધા હતા. એને કહ્યું હતું કે “યશોદા! પાણીના વહેણને અટકાવી શકાય પણ સરી જતાં જીવનને રોકી શકાય એમ નથી. એની સામે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org