________________ સંસારી છતાં ત્યાગી....! [ 139 ] વર્ધમાનના મિતાક્ષરી વાક્યોનું વિચક્ષણ બુદ્ધિરૂપ - યાથી મંથન કરી નવનિત સમી વર્ધમાનની ભાવનાને અભિવંદી રહ્યા ! એ સમયમાં ધર્મરાગી આત્માઓ જ્યારે સંસારની બધી ફરજો અદા થઈ જાય ત્યારે સામેથી મૃત્યુને નોતરતા ! એ મૃત્યુ મંગલમૃત્યુ લેખાતું. આ અવસર સુઅવસર મનાતોસિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા હતા. તેમને સરલ આત્મા ધર્મધ્યાનમાં જ મસ્ત હતે, અંતરની સરલતાથી તેમને અંત સમય નજીક હેવાનો ખ્યાલ આવી ગયે. અનશનવ્રત આદરી મંગલ મૃત્યુને નેતરવા ભાવના જાગી ! બને કુમાર અને બન્ને પુત્રવધુઓ પાસે પિતાની અંતિમ ભાવના પ્રદર્શિત કરી સુંદર હિતશિક્ષા આપી. અને જ્ઞાતિજનોને બોલાવી સર્વની સાથે ખમતખામણું કર્યા. “મિચ્છામિ દુક્કડં " ની આપ લે કરી સર્વની અનુજ્ઞાપૂર્વક અનશન વ્રત આદરી રાજમહેલમાં આવેલા ધર્માલયમાં બેસી ગયા. ન ખાવું ન પીવું, ન બોલવું ન ચાલવું, ન ઊઠબેસ કરવી. માત્ર પાર્શ્વનાથ પ્રભુના જ ધ્યાનમાં એક ચિત્ત બની ગયા. “ઓમ જય પાર્વ, એમ જય પાર્વ” જપતાં સંસારની માયાથી પરાડગમુખ બની ગયાં. નથી મોહ, નથી અસંતોષ, પૂર્ણ આનંદરસને ઝીલતા મનની પ્રસન્નતાપૂર્વક મહા ભાગ્યશાળી એ દંપતી કેટલાક ઉપવાસને અંતે આયુષ્ય પૂર્ણ કરી આ માનવીય દુનિયા છેડી ઉપાર્જિત કરેલા પુણ્યના ફળ ભેગવવા દેવી દુનિયારૂપ અશ્રુત દેવલોકમાં ચાલ્યા ગયા ! પાછળ લીલી વાડી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org