________________
વૈરાગી વમાન વરરાજા અન્યા
[ ૧૩૧ ]
માનપૂર્વક માતૃચરણમાં નમસ્કાર કરી રસિંહાસન પર બેસાડ્યા અને પોતે વિનયાવનત મસ્તકે અંજલી જોડી આલ્યાઃ
""
“ માતાજી ! આપે અહીં પધારવાની તકલીફ્ શા માટે લીધી ? મને આપની પાસે બેલાબ્યા હાત તે હું ત્યાં હાજર થાત ! મધુરભાષી વમાનના વિનય વચનાથી આનંદિત થયેલા ત્રિશલામાતાએ પુત્રના મસ્તક પર હાથ મૂકતાં કહ્યું: “ બેટા ! તારા જેવા પુત્ર પામીને હુ' ત્રણે જગતમાં માનનીય સ્થાનને પામી છું. સ્વપ્નપાઠકે એ કરાવેલા તારા ભાવિદન પ્રમાણે જ બધુ બનતું રહ્યું છે. હું સંપૂર્ણ સુખી છું, પણ એ સુખમાં કાજળની રેખા સમાન તારા વિરાગભાવ મને અકળાવી રહ્યો છે. બેટા! તુ' લગ્ન કરીને મારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કર.
માતાના માહભર્યા વના સાંભળી વધુ માન માતાના ચરણ સમીપે બેસતા બેાલ્યા ! “ માતાજીઃ ! આપ સમજુ છે. પાર્શ્વનાથ પ્રભુના ધર્મોના અનુરાગી છે. આપ જાણો છે કે આ સંસારમાં કોઇ કોઇનું નથી. કાણુ માતા....કાણુ પિતા....કાણુ પત્ની....કાણુ અન્ધુ....કાણુ મિત્ર ! આ આત્મા અનંતા ભવામાં અનંતા સમ્બન્ધો બાંધી ચૂક્યો છે. કેને પોતાના માનવા, કાને પરાયા? હું મારા મિત્રોને એ જ સમજાવી રહ્યો હતા કે આ સ`સાર એક ૫ ખીમેળા જેવે છે. સાંજ પડતાં જેમ પક્ષીએ વૃક્ષ પર એકઠા થાય છે અને સવાર પડતાં ઉડી જાય છે, તેમ આ કુટુબમેળામાં સૌ પોતાના પૂર્વ સમ્બન્ધ એકત્ર થાય છે અને સમ્બન્ધ પૂર્ણ થતાં સૌ પેાતાના સ્થાને ચાલ્યા જાય છે. આપના જેવા
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org