SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ એ મહાવીર કેવા હશે ! [ ૧૨૫] અમૃતમાં મીઠાશનું આરોપણ કરવા જેવી વાત બની ! હું સૌધર્મેદ્ર છું. આસનકંપથી મેં આ અનુચિત બનાવ બનતું જા અને તમને જ્ઞાનીની આશાતનાથી બચાવવા દેડી આવ્યો.” આ સાંભળી અધ્યાપક એકદમ પ્રભુના ચરણમાં જુકી પડતા બોલ્યા: “પ્રભુ ! મારે અપરાધ માફ કરે! મારી અ૯પજ્ઞતાથી સર્વજ્ઞસમા આપને હું પીછાણું શક્યો નહિ ! આજથી આપ મારા ગુરુ છે. આપ જેવા ત્રિકાળજ્ઞાની ગુરુ પામી હું ભાગ્યશાળી બન્યો છું. મારે અવિનય માફ કરે.” એમ વારંવાર બોલતે અધ્યાપક અમૃજલથી પ્રભુના ચરણ પખાળી રહ્યો ! પ્રભુએ પણ એ પંડિતને આશ્વાસન આપ્યું અને સિદ્ધાર્થ રાજા પાસે અઢળક દાન અપાવ્યું ! ઈન્ડે પણ સર્વજને સમક્ષ પ્રભુનું પ્રભુત્વ પ્રગટ કરી સૌને સત્યનું ભાન કરાવી પ્રભુને અને પ્રભુના માતાપિતાને નમસ્કાર કરી ઈન્દ્રલેકમાં ચાલ્યા ગયા. આ બાજુ ઈન્દ્ર અને પ્રભુ વચ્ચે વ્યાકરણ વિષયક જે પ્રશ્નોત્તરી થઈ હતી. એ પ્રશ્રનેત્તરને કેમ વિસ્તૃત હોવાથી પરમ ઉપયોગી જાણી એ પ્રાધ્યાપકે એક દળદાર ગ્રન્થ તરીકે સંગ્રહ કર્યો અને “શ્રીજેનેંદ્ર વ્યાકરણ” તરીકે લેકમાં પ્રસિદ્ધ કર્યો. અભ્યાસુજનને વાગમય વાણીનું અદૂભુત સાધન મળ્યું. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી પિતાના બાલુડાને લોકોત્તર જ્ઞાનવૈભવ અને પલ્યા વગરની પ્રખર પંડિતાઈ જોઈ સુપતિ પુત્રને ભણાવવાનું સાહસ કર્યું તે બદલ મનમાં જરા ક્ષેભ પામ્યા, પણ હૈયામાં હર્ષને સાગર ઉછળી રહ્યો ! જેવી રીતે વાજતે ગાજતે સાજન માજનને પુરજન સાથે વર્ધમાનકુમારને પાઠશાળામાં લાવવામાં આવ્યા હતા, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy