________________
-
ઝ
. =
=
[ ૮૬ ]
શ્રી મહાવીર જીવનત રાજમહેલના પ્રાંગણમાં રહેલા વિશાળ જિનમંદીરમાં સ્થાપિત કરેલા પરિવાદાણીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભવ્ય પ્રતિમાજીની ઉંચી જાતના ચંદન વગેરે દ્રવ્યોથી અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા અને ચૈત્યવંદન વિધિરૂપ ભાવપૂજા હર્ષપૂર્વક કરી.
સમય થતાં અલ્પાહાર અને પેય પદાર્થોને ન્યાય આપી દહીં વગેરે દ્રવ્યથી દ્રવ્યમંગળ અને શ્રી નવકારમંત્રના સ્મરણરૂપ ભાવમંગલ કરી રાજકુલવટને છાજે તેવા મહાકીમતી વસ્ત્રાલંકારથી સજજ થઈ ઈન્દ્રસભાને પણ મહાત કરે તેવી સુશોભિત રાજસભામાં પધાર્યા અને સુવર્ણમય સિંહાસન પર આરૂઢ થયા. સિદ્ધાર્થ રાજાના આત્મીય પુરુષોએ રાજાજ્ઞાની ઉદૂષણપૂર્વક રાજસભામાં આવવાનું આમંત્રણ આપેલ હોવાથી આબાલવૃદ્ધ નગરજનોથી રાજસભા ઉભરાઈ ગઈ હતી. તે અવસરે સોળ શણગારથી સજજ થઈ દેવાંગના સમ દીપતા ત્રિશલાદેવી રાજપરિવારના સ્ત્રી સાથે પાછલે બારણેથી રાજસભામાં આવી જવનિકા(પડદા)ની પાછળ રાખેલા સુવર્ણ સિંહાસન પર આરૂઢ થયા અને સભામંડપમાં જયધ્વનિ ગાજી ઉઠ્યો.
તે જ સમયે રાજાજ્ઞાથી આવેલા અને બહુમૂલા વસ્ત્રાલંકામાં સજ્જ થયેલા અષ્ટાંગ નિમિત્તશાસવેત્તાઓએ જય જય શબ્દથી વધામણા કરતાં અને મુખથી સ્વસ્તિવચને બેલતાં બેલતાં સભામંડપમાં પ્રવેશ કર્યો.
તેમાંથી અગ્રેસર જણાતાં એક વિદ્વાને પિતાનો જેમણે હાથ ઉંચા કરી સિદ્ધાર્થ રાજાને શુભાશિષ આપતાં કહ્યું “હે રાજન! તમારા રાજ્યની વૃદ્ધિ થાઓ, તમે જય પામે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org