SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વન અને પરાવર્તન [ ૬૯ ] દરેક તીર્થકરેના આત્માઓ હંમેશા ઉચ્ચ કુલમાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ ભગવાન મહાવીરના આત્માએ નયસારના ભવમાં સમક્તિ પામ્યા પછી ત્રીજા મરિચિના ભવમાં કરેલા કુળમદના કારણે નીચ નેત્રને કર્મો જે એકઠા કરેલા તેને ભેગવતાં કંઈક અંશે બાકી રહી ગયેલ હોવાથી તેમને આ સત્યાવીશમાં છેલ્લા ભાવમાં પણ ભિક્ષુક કુલ જેવા નીચ કુલમાં ઉતપન્ન થવું પડયું. આ વાત કર્મસંગે ખ્યાસી દિવસ સુધી ત્રણ જ્ઞાનના જ્ઞાતા ઈન્દ્ર મહારાજને પણ જાણવામાં ન આવી. ચાસમા દિવસે એ કર્મ ક્ષીણ થતાં સુધર્મ દેવલેકના અધિપતિ સૌધર્મ ઈન્દ્રને અવધિજ્ઞાનના ઉપયોગથી વીશમાં તીર્થકરને નીચ કુલમાં માતૃગર્ભસ્થિત જોઈ તેમના દિલમાં આશ્ચર્યાન્વિત ભાવ ઉભરાયે. એમના અંતરમાં એક સત્ય વસ્તુનું ભાન થયું કે “પૂર્વકાળમાં આ વર્તમાન વીશીના ત્રેવીસ તીર્થકરે છીપમાં ખેતીની જેમ ઉચ્ચ કુલમાં મૂખ્ય એવા ક્ષત્રિયકુલમાં ઉપન્ન થયા છે, જ્યારે આ છેલ્લા વીસમા તીર્થંકર બ્રાહ્મણ કુલ જેવા યાચકકુલમાં કેમ ઉત્પન્ન થયા? ભારે આશ્ચર્ય ! આ સંસારમાં ઘણીવાર ન બનવાનું બની જાય છે. કારણ વગર કદી કાર્ય બનતું નથી. એમ વિચાર કરતાં તેમને સમજાઈ ગયું કે પૂર્વ ઉપાર્જન કરેલા કર્મસંગે આ અઘટત બનાવ બન્યું છે. ભલે, એ પરમાત્મા નીચ કુળમાં માતાના ગર્ભમાં અવતર્યા પણ એ કુળમાં જન્મ તે ન જ થવા દે એ મારે અધિકાર છે અને ફરજ પણ છે.” પ્રભુને યંગ્ય ઉચ્ચ કુલને વિચાર કરતાં અવધિજ્ઞાનરૂપ અંતરનેત્રથી સમગ્ર ભારતભૂમિ પર નજર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy