________________
-
-
-
-
-
-
-
-
-
-
[૩૪]
શ્રી મહાવીર જીવનત પૂર્વભવના દુમન સરખા ભાઈને સામે આવેલા જોઈ તેના દિલમાં પૂર્વભવજન્ય વેરભાવનાએ ઉછાળે માર્યો. તેની સાથે જ ભારે બલિષ્ઠ સિંહે ત્રિપૃષ્ણકુમારને કેળીયો કરવા પુંછડું પછાડી ત્વરાથી ઉછળીને તેના પર કુદકે માર્યો ! કુમારે પણ નિર્ભયતાપૂર્વક જરાય ડગ્યા વગર હસ્તલાઘવ કળાથી દોડ્યા આવતા સિંહનું જડબું પકડી લીધું, અને જેમ કાપડીયો કાપડ ચીરે તેમ ચર....૨...૨... કરતાં સિંહના બે ભાગ કરી નાખ્યા. ભેય પડેલે સિંહ તરફડવા લાગ્યું ! બે ટુકડા થઈ ગયા હોવા છતાં આત્મ પ્રદેશે તેના શરીરમાંથી ખસતા નથી! એક બાળકના હાથથી મારી આવી કદર્થના થઈ એ વિચારથી સિંહનો જીવ કેમે કરી જ નથી! સિંહના મનની વાત જાણી ત્રિપૃષ્ણકુમારના સારથીએ સિંહના કાનમાં કહ્યું: “અરે સિંહ! તું જેવા તેવાના હાથે મર્યો છે એમ ન માનતો ! આ મહાપરાક્રમી ત્રિપૃષ્ણકુમાર થોડા જ સમયમાં વાસુદેવપણે પ્રસિદ્ધ થશે. એ પુરુષસિંહે તને જ છે.” સારથીના વચન સાંભળી શાંત થયેલ સિંહ કુકર્મના પરિણામ ભોગવવા ચોથી નરકમાં ચાલ્યો ગયો !
- ત્રિપૃષ્ઠકુમાર અને સિંહની લડાઈ જોવા માટે ઘણા વિદ્યારે એકત્ર થયા હતા. સાથે અચલકુમાર પણ પ્રેક્ષક બનીને ઉભા હતા. નાનાભાઈનું અદભુત પરાક્રમ જોઈ પ્રસન્નતાપૂર્વક તેને બધાએ ત્રિપૃષ્ણકુમારનો જયજયારવ ગજાવ્યો. ત્રિપુષ્ટકુમારે સિંહ ચર્મ ઉતારી વિદ્યાધરને આપીને કહ્યું: તમારા રાજાને કહેજે કે હવે નિરાંતે શાલિનું ભજન કરે.” અને કુમારે જયપતાકા લહેરાવતાં પોતાની રાજધાની તરફ પાછા ફર્યા. પ્રજાપતિ રાજાએ પિતાના રાજ્યમાં વિજય મહોત્સવ મનાવ્યો ! અશ્વગ્રીવ રાજાને ત્રિપૃષ્ણકુમારને સંદેશે અને સિંહ વધની હકીક્ત મળતાં જ તેને નિશ્ચય થઈ ગયો કે આ ત્રિપૃષ્ણકુમાર જ મારો ઘાતક છે. એ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org