SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯. શ્રમણભગવંતો-૧ શ્રમણુભગવંતો વિશે અપૂર્વ આકરગ્રંથ છે ભાઈશ્રી નંદલાલ દેવલુક મારા પરમ મિત્ર છે. ધાર્મિક સાહિત્યના ક્ષેત્રે એમણે કેટલુંક મહત્વનું કામ કર્યું છે, જે ભવિષ્યના લેખકોને વિસ્તૃત અને અધિકૃત લેખન માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડશે. - ભાઈશ્રી નંદલાલ દેવલુકે ગોહિલવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત તથા વિશ્વની અસ્મિતાને લગતા વિવિધ પ્રકારના દળદાર ગ્રંથે પ્રગટ કર્યા છે. તેમની યોજનાઓ બૃહદ્ જનાઓ હોય છે. તેમણે વિશ્વની અસિમતા” નામના દળદાર માહિતીસભર ગ્રંથના પ્રકાશન પછી “જેન રત્નચિંતામણિ નામને ઘણે મોટે ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. ત્યાર પછી એમણે આ “શાસનપ્રભાવક શ્રમણભગવંત” નામને અપૂર્વ એવો આકરગ્રંથ તૈયાર કર્યો છે. આવા આકરગ્રંથની એક લાક્ષણિકતા એ હોય છે કે તેમાં એકસૂત્રતા કરતાં સામગ્રીની વિપુલતા મહત્વની બની જાય છે. આવડું મોટું કામ સામાન્ય રીતે કેઈ એક મેટી સંસ્થા કેટલાક પગારદાર સહાયકની સહાય લઈને પ્રકાશિત કરી શકે, તેવું કામ ભાઈશ્રી દેવલુકે લગભગ એકલા હાથે કર્યા કર્યું છે. એ દષ્ટિએ તેઓ અભિનંદનને પ્રાપ્ત છે. આવા મોટા કામને માટે એટલા જ મેટા આર્થિક પીઠબળની જરૂર પડે; પરંતુ ભાઈશ્રી દેવલુકને અડગ શ્રદ્ધા છે કે એક વખત કામ ચાલુ કર્યું તો કયાંકથી પણ શેડેઘણે આર્થિક સહયોગ મળી રહેશે. એમણે પોતાની આવી વિશાળ જનાઓ પાછળ આર્થિક દૃષ્ટિએ અને સમય વગેરેની દષ્ટિએ ઘણે મોટે ભેગ આપે છે. એમનું આ સ્વાર્પણ પ્રશસ્ય છે અને તે અવશ્ય ફળદાયી નીવડશે એવી પૂરી શ્રદ્ધા છે. આટલાં જ સમય અને શક્તિ તેમણે જે અન્ય કેઈ વ્યવસાયમાં આપ્યાં હોત તો ઘણું સારું અર્થોપાર્જન કરી શક્યા હત; તેમ ન કરતાં આવી સાહિત્યિક યોજનાઓ પાછળ તેમણે જીવનનાં કિંમતી વર્ષે સમર્પિત કર્યા છે એ એમની ધર્મ પ્રત્યેની અને સંસ્કારઘડતર માટેની લગની કેટલી ઊંડી છે તેની પ્રતીતિ કરાવે છે. આવી મેટી યોજનાઓ કરતી વખતે ઘણી વ્યક્તિઓના માર્ગદર્શનની અપેક્ષા રહે છે. ભાઈશ્રી દેવલુક શક્ય તેટલી બધી વ્યક્તિઓની અંગત મુલાકાત લઈને, તે બધાનું માર્ગદર્શન મેળવીને પિતાના કાર્યને યથાશક્ય સારામાં સારું કરવા પ્રયત્ન કરે છે. જો કે સાહિત્ય-લેખનનું ક્ષેત્ર જ એવું છે કે તેમાં જુદા જુદા લેખકો પોતે જ પિતાના લેખનકાર્યમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ તેમાંથી બહ ઓછો સમય આવી માનાઈ જનાઓ માટે ફાજલ કાઢી શકે. તેથી ભાઈશ્રી દેવલુકને થોડો અસંતોષ રહે એમ બનવું સ્વાભાવિક છે. ગ્રંથ છપાયા પછી તે સલાહસૂચને સૌ કેઈ આપી શકે, પરંતુ તે છપાતાં પૂર્વે યોગ્ય માર્ગદર્શન આપવા માટે બહુ ઓછાને અવકાશ હોય છે. એટલે આ અને અન્ય સંસ્થાઓનાં આવાં પ્રકાશનમાં પણ બધાની બધી અપેક્ષાઓ સંપૂર્ણપણે ન સંતોષાય એમ બનવું અસ્વાભાવિક નથી. શાસનપ્રભાવક શ્રમણભગવંત ”માં ભગવાન મહાવીરના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામીથી શરૂ થયેલી પાટપરંપરામાં વેતામ્બર મૂર્તિપૂજક ફિરકાના મહાન જૈનાચાર્યો અને અન્ય શ્રમણ ભગવંતની ઉપયોગી પરિચયાત્મક માહિતીનું સરસ સંકલન કરવામાં આવ્યું છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy