SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શાસનપ્રભાવક છે. સુષુપ્તિ જાગૃતિનું આવું એક ચક્ર હજી હમણાં જ–ગઈ સદીમાં જ પૂરુ થયું છે, જેમાં અનેક ક્રિયાદ્વારક મુનિઓના પ્રબળ પુરુષાથ ભાગ ભજવી ગયા હતા. વિક્રમની નવમી–દસમી શતાબ્દીમાં ચૈત્યવાસ શરૂ થઈ ગયા હતા, પરંતુ શુદ્ધ સંયમના મૂળ માગ પણ તેના સમાંતરે ચાલતા હતેા. ક્રમશઃ શિથિલાચારનું જોર વધ્યું અને તેના પ્રત્યાઘાતરૂપે બારમી શતાબ્દી આસપાસ ક્રિયાન્દ્રાર થયા. શુદ્ધ સાધના પાલનમાં માનતા શ્રમણાને · સ`વેગી ’શબ્દથી ઓળખવાનું લગભગ અહીથી શરૂ થયું અને શિથિલાચારી મુનિએ માટે યતિ' શબ્દ રૂઢ થયે. એ સમયના મુખ્ય ક્રિયાદ્ધારકો હતા—શ્રી જિનવલ્લભસૂરિ ( ખરતરગચ્છ ), શ્રી જગચ્ચદ્રસૂરિ ( બૃહત્તપાગચ્છ ), શ્રી જયશેખરસૂરિ ( નાગે!રી તપાગચ્છ ) અને શ્રી આ રક્ષિતસૂરિ ( વિધિપક્ષ ). 6 ક્રિયાદ્વારનું ખીજુ` મેાજુ સેાળમી સદીમાં આવ્યું. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ( સ. ૧૫૬૪), શ્રી આનંદવિમલસૂરિ ( સ. ૧૫૮૨ ), શ્રી ધ મૂર્તિસૂરિ ( સ. ૧૬૦૨ ), શ્રી જિનચંદ્રસૂરિ ( સ. ૧૬૧૪ )– સેાળમી સદીના આ મહાન ક્રિયેટદ્વારકા હતા. અઢારમી સદીમાં શ્રી સત્યવિજય ગણિ અને શ્રી જ્ઞાનવિમલસૂરિ આદિએ એ કાર્ય કર્યુ. વિક્રમની વીસમી સદી પણ આવા ક્રિયાદ્વારની સાક્ષી ખની, પાર્શ્વચંદ્રગચ્છમાં શ્રી કુશલચંદ્ર ગણિ, શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ, ખરતરગચ્છમાં શ્રી મેહનલાલજી મહારાજ, અચલગચ્છમાં શ્રી ગૌતમસાગરજી, તપાગચ્છમાં શ્રી ખુટેરાયજી, શ્રી મૂલચંદ્રુજી, વિજયકમલસૂરિ આદિ, ત્રિસ્તુતિકગચ્છમાં શ્રી રાજેન્દ્રસૂરિ, વિમલગચ્છમાં શ્રી શાંતિવિમલસૂરિ – જૈન શ્રમણુસંઘની છેલ્લી કાયાપલટના આ બધા સમર્થ સૂત્રધાર હતા. આ ક્રિયાદ્ધારક ક્રાંતિકારી ધ વીર મહાપુરુષો જિનશાસનના જાગૃત પ્રહરી છે. ભગવાન મહાવીરના પ્રખાયેલા ઉત્કૃષ્ટ ધર્મીમાની રક્ષા અને આરાધના કાજે પૂર્ણ શક્તિથી ઝઝૂમનારા અને દેશ-કાળના પ્રવાહને પુનઃ સન્માગે વાળવાનું ભવ્ય શકવતી કાય કરનારા એ મહાન શ્રમણભગવંતા શાસનના સાચા સુકાનીનું ઉત્તરદાયિત્વભયુક્ત કબ્ય કરી ગયા છે. આચારશુદ્ધિ અને વિચારશુદ્ધિના પ્રખર ઉપાસક એ મહાનુભાવા પ્રત્યે દરેક ચારિત્રપ્રિય વ્યક્તિ ઊડો અહેાભાવ અનુભવ્યા વિના નહિ રહે ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy