SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ So શાસનપ્રભાવક તદુપરાંત, સંવેગી શાખાના શ્રમણભગવંતે, શ્રી પૂની પરંપરા, આનંદઘનજી, યશોવિજયજી વગેરે શીલભદ્ર સારસ્વત અને મહાન જ્યોતિધરેને પણ પરિચય આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. વળી, આ માહિતીસભર ગ્રંથમાં વિક્રમની વીસમી સદીના પ્રવર્તમાન ગચ્છાદિના આચાર્યોને પણ સમુદાયવાર ઘણી વિગતે સાથે પરિચય આપવામાં આવ્યું છે. આ રીતે આ એક જ ગ્રંથમાં ૪૫થી પણ વધુ શ્રમણભગવંતને પરિચય મળી રહે છે. આવું પ્રકાશન આ પહેલી જ વાર થાય છે. એથી એક સંદર્ભગ્રંથ તરીકે પણ તેનું મૂલ્ય ઘણું બધું રહેશે. ભગવાન મહાવીરસ્વામીના સમયથી તે વર્તમાન સમય સુધીના અઢી હજાર વર્ષના ગાળામાં સહેજે અઢી હજારથી વધુ મહાન શ્રમણભગવંતે થઈ ગયા હશે, પરંતુ એમાંથી કેટલાયે વિશે આપણને કશી જ ખબર નથી. કાળના પ્રવાહમાં એમનાં નામને અને એમનાં શાસનપ્રભાવક કાર્યોનો ઇતિહાસ લુપ્ત થઈ ગયું છે. અન્ય એવા અનેક શાસનપ્રભાવકેનાં માત્ર નામને નિર્દેશ મળે છે. તે સિવાય તેઓના જીવનની કશી જ બીજી માહિતી મળતી નથી. કેટલાય શ્રમણ ભગવંતેના જીવનની આછીપાતળી રૂપરેખા મળે છે, તે કેટલાક શાસનપ્રભાવકેનાં જીવન અને સાહિત્યની વિપુલ માહિતી મળે છે. હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જેવાના સમગ્ર જીવન અને સકલ સાહિત્યને વિવેચનાત્મક પરિચય જે આપ હોય તે તે પ્રત્યેક ઉપર આ ગ્રંથ કરતાં પણ મેટ ગ્રંથ લખી શકાય. જે આવી સ્થિતિ હોય તે સાડા ચારસેથી અધિક શ્રમણુભગવંતના જીવન પરિચયને એક જ ગ્રંથમાં સમાવિષ્ટ કરવાનું હોય તે ગ્રંથકારે–સંકલનકારે કેટલીક મર્યાદાઓ આપોઆપ સ્વીકારી લેવી જ પડે. એટલે અમુક ચરિત્રમાં અમુક માહિતી કેમ આવી નથી કે અમુક ગ્રંથને કેમ સવિસ્તર પરિચય કરાવવામાં આવ્યું નથી અથવા ગચ્છો કે આચાર્યોની પૂર્વાનુમૂવીમાં કે તેમના પરિચયમાં ક્રમ કેમ સચવાયે નથી, અથવા અમુક શ્રમણભગવંત વિશે કેમ કશી માહિતી કે ફેટે નથી ઇત્યાદિ પ્રશ્નો જે કદાચ કેઈને થાય, તે તેમાં આપણે એટલું જ લક્ષમાં રાખવું જરૂરી છે કે આ ગ્રંથ આ દિશામાં પહેલા મોટા પ્રયાસ તરીકેને ગ્રંથ છે. અને તેનું મુખ્ય લક્ષ્ય તે ભવિષ્યના લેખક અને સંશોધકેને વિકૃત થતી જતી માહિતી અને અન્ય સામગ્રી પૂરી પાડવાનું છે. કઈ પણ મોટા ગ્રંથથી બધી જ અપેક્ષાઓ સંતોષાય એમ બનવું સહેલું નથી, પરંતુ ત્રુટિરહિત એ ગ્રંથ જ્યારે કઈ વ્યક્તિ જાતે લખવા બેસે ત્યારે જ તેને અનુભવના આધારે ખબર પડે કે આ કામ એકલા હાથે કરવું તે કેટલું દુષ્કર છે. આવું દુષ્કર કાર્ય અને એટલું જ મોટું આર્થિક સાહસ ભાઈ શ્રી નંદલાલ દેવલુકે કર્યું છે, એટલી વાત પણ એમને આપણાં અભિનંદનના અધિકારી બનાવે છે. જેનશાસનના મહાન પ્રભાવક શ્રમણભગવંતના આ ગ્રંથમાંથી કઈ એકાદ શ્રમણભગવંતની એકાદ પ્રેરક ઘટના કેઈક જીવને માટે સબોધ અને સદુપરિવર્તનના નિમિત્તરૂપ બને તે પણ આવા ગ્રંથનું લેખન-સંકલન કૃતાર્થ થયું છે એમ ગણી શકાય. આ ગ્રંથ અનેકને માટે પ્રેરણારૂપ બની રહે અને ભાઈશ્રી નંદલાલ દેવલુકના હાથે ભવિષ્યમાં વિભિન્ન વિષયે ઉપર પાયાનાં સરસ પ્રકાશને થતાં રહે અને તેમાંથી ભવિષ્યમાં વિવિધ વિષયેના અધિકૃત નિષ્ણાતો દ્વારા સુશ્લિષ્ટ ઈમારતે બંધાતી રહે એ જ શુભકામના ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy