SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત You આકૃતિથી અનોખા : પ્રકૃતિથી પ્રભાવશાળી કૃતિથી કામણગારા : એક એકથી અધિકી અજોડતાના અવતાર : આ યુગના યોગી : પૂ. પંન્યાસ શ્રી ભદ્રકવિજયજી ગણિવર જૈનજગતમાં “પંન્યાસજી મહારાજ ના લાડીલા સંબોધનથી જાણીતા-માનીતા બનેલા શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર પિતાનાં કાર્યો દ્વારા એક રોમાંચક ઇતિહાસના સર્જક છે. સં. ૧૯૫૯ થી સં. ૨૦૩૬ સુધીના ૭૭ વર્ષના સમયગાળામાં કાળસાગરને કિનારે પિતાનાં ચરણચિહ્નો અંકિત કરી જનાર પ. પૂ. પંન્યાસજી મહારાજ અનેક રીતે અનોખા નહીં, અજોડ અને અનન્ય પણ છે. જેનસંઘમાં છેલ્લી પાંચ-છ સદી દરમિયાન જે ઇતિહાસ લખાય તેમાં પૂજ્યશ્રીનું પ્રદાન એક નવી જ ક્ષિતિજના ઉદ્ઘાટન સમું હતું. નમસ્કાર મહામંત્ર તે ઘરે-ઘરે અને જીભે-જીભે ગવાતે મંત્ર હતું, પરંતુ તેના મહિમાનું ક્ષેત્ર જોઈએ તેટલું પ્રસિદ્ધ ન હતું. એ ક્ષેત્ર પર ચિંતન-મનન કરીને, એ મંત્રાધિરાજના મહિમાનું વિરાટ ગાન ગુંજતું કરવામાં પૂજ્યશ્રીએ પિતાનાં જીવન અને કવન દ્વારા કાર્ય કર્યું તે અજોડ છે. એ જ રીતે, મૈત્રીભર્યા વાતાવરણને સ્થાપવા માટે તેઓશ્રીએ સતત પુરુષાર્થ કર્યો તે પણ અજોડ હતે. પૂજ્યશ્રી પિતાની શાંત આકૃતિ–પ્રકૃતિ દ્વારા એક અજાતશત્રુ' તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. તેમ છતાં, આવશ્યકતા પ્રમાણે ખંડન-મંડનની પ્રવૃત્તિને પણ આવકારતા હતા. પૂજ્યશ્રીના પરિચયમાં જ પ્રશાંતિના પરિમલની લહેર આવતી. ગમે તે બન્યો-ઝન્ય માનવી તેમની મૌન મુખમુદ્રા જોઈને જ હિમ સમી ઠંડક અનુભવતે. પૂજ્યશ્રીની સ્વસ્થ, શાંત બેલચાલની રીત એ શાંતિમાં ઉમેરો કરતી અને સામેની વ્યક્તિ પ્રસન્ન થઈ ઊઠતી. તેમ છતાં, તેઓશ્રી કથાના કોલાહલથી, પ્રતિષ્ઠાના લેટફેર્મથી અને નામનાની હૂંસાતુંસીથી સદાય દૂર રહેતા. જસ્સ મણે નવકાર, સંસાર તસ કિ કુણજી” એ તેઓશ્રીને જીવનમંત્ર હતા. “ખમું છું” અને “નમું છું” એ બે તેઓશ્રીના વિષય હતા. ખમવું” તે નમ્રતાનું પ્રતીક અને નમવું” તે પ્રભુભક્તિનું પ્રતીક છે એમ તેઓશ્રી માનતા અને મનાવતા. જીવનમાં સંયમ અને સરસ્વતીની સુવાસને પ્રસરાવનારા અને મૃત્યુને “વ્યાધિમાં સમાધિ” રૂપે નિહાળનારા પંન્યાસજી મહારાજ સં. ૧૯૫ત્ના માગશર સુદ ત્રીજે પાટણની ધર્મ ધરા પર જન્મ્યા. ભાવિ લક્ષણને અનુરૂપ ભગવાનદાસ નામાભિધાન પામ્યા. પિતા હાલાભાઈની કર્મભૂમિ મુંબઈ હવાથી ભગવાનદાસને ઘણોખરો ઉછેર મુંબઈમાં જ થયો. સોળ વર્ષે મેટ્રિક થયા. ધાર્મિક અભ્યાસ પણ વધતો જતો હતો. અંતરમાં વૈરાગ્યના અંકુર ફૂટવા માંડ્યા હતા. છતાં અનિચ્છાએ લગ્નગ્રંથિથી જોડાયા. સ. ૧૯૮૫માં સકલગમ રહસ્યવેદી પૂ. આ. શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સપરિવાર મુંબઈ પધાર્યા. મુનિશ્રી રામવિજયજી મહારાજની જેશીલી વાણી ભગવાનદાસના હૃદયને હલાવી ગઈ. દિનપ્રતિદિન અસર ઘેરી બનતી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy