SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૩૯૭ સંસ્મરણા યુગા સુધી યાદ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા એ અપ્રતિમ શાસનપ્રભાવકને કોટિ કેટિવ'દના ! ( સંકલન : મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ, સંદર્ભ ગ્રંથ : શ્રી માલાભાઈ દેસાઇ સ`પાદિત ‘ શ્રી ચારિત્રવિજય ગ્રંથ ' તથા શ્રી મહુવાકર લિખિત ‘ ગુરુકુળની ગૌરવગાથા.' ) ન્યાયતી: ન્યાયવિશારદ પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ પડિતરાજ અશ્વઘોષ અને કવિરાજ કાલિદાસ સમી પ્રશસ્તિ પામનારા આ સરળતા અને સમાનતાના સાધક સાધુવરને જન્મ સં. ૧૯૪૬ના કારતક સુદ ૩ ને શુભ દ્ઘિને માંડલમાં થયેા હતા. પિતા છગનલાલ અને માતા દિવાળીબેનનું એક માત્ર લાડકવાયું સંતાન નરિસંહ નાનપણથી જ સરળ સ્વભાવી, સંસ્કારી અને ધર્મપ્રેમી હતું. નરસિંહ ગામઠી શાળામાં ચાર ધારણના અભ્યાસ પૂરા કરીને પ્રસિદ્ધ જૈનાચાય શ્રી વિજયધ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી માંડલમાં સ્થપાયેલી શ્રી યશેાવિજય જૈન પાઠશાળામાં વધુ અભ્યાસાથે દાખલ થયા. ખીજે વર્ષે આ પાઠશાળા બનારસ ખસેડવામાં આવી. ત્યાં બે વર્ષ અભ્યાસ કરીને વતન પાછા આવ્યા. દરમિયાન માતા અને પિતાનું અવસાન થતાં ખૂબ આઘાત અનુભવ્યેા. ત્યાર બાદ, કાકાની રજા લીધા વગર, પાલીતાણા જવાનુ બહાનું કાઢી બનારસ પહોંચ્યા. ત્યાંથી ગુરુદેવ ૩૦ વિદ્યાથી એ સાથે કલકત્તા તરફ વિહાર કરતા હતા તેમાં જોડાઈ ગયા. અનેક મુસીબતે વચ્ચે કલકત્તા પહેાંચીને, અન્ય ચાર મિત્ર સાથે નરસિંહે પણ દીક્ષા ગ્રહણ કરી. પહેલેથી જ તેઓ ‘ ન્યાય ’માં વિશેષ રુચિ ધરાવતા હતા તેથી પૂ. ગુરુદેવે નામ આપ્યું મુનિ શ્રી ન્યાયવિજયજી. પૂજ્યશ્રીએ પણ યથાના ન્યાયશાસ્ત્રોનુ ગહન અધ્યયન કરી, તેમાં ઊંચી ઊંચી પરીક્ષા પસાર કરી · ન્યાયતી ' અને ન્યાયવિશારદ ’ની પદવી પ્રાપ્ત કરી. ઊગતી જુવાનીમાં શાસ્ત્રોમાં પરમ પારગામિતા પ્રાપ્ત કરી ‘ અધ્યાત્મતત્ત્વાલેાક ' અને ‘ ન્યાયકુસુમાંજલિ ’ જેવા શ્રેષ્ઠ શાસ્ત્રગ્રંથા લખ્યા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવી કાવ્યરચનાઓ કરી. યુવાન સાધુની આવી ઊંચી પ્રતિભા અને જ્ઞાનવૈભવ જોઈ ને નાગપુર અને ઉજ્જયિનીના બ્રાહ્મણેાએ તેમને ‘ વિશ્વયોવ: જમ્ હિવાસ: ।' એવાં પ્રશસ્તિવચનો સાથે માનપત્ર અણુ કયુ`. ઊંડાં ચિંતનને પરામ પામેલા પૂજ્યશ્રીના ‘જૈનદર્શન ' નામના મહાગ્રંથ અોડ અને અવિસ્મરણીય ધર્મગ્રંથ છે. સમગ્ર ભારતવમાં, જૈન-જૈનેતર સમાજમાં અદ્ભુત લેાકાદર પામેલા આ ગ્રંથની ૧૦-૧૦ આવૃત્તિએ થઇ છે. હિંદી અને અ ંગ્રેજીમાં તેના અનુવાદો થયા છે. આ ઉપરાંત, તેઓશ્રીએ નાનામેાટા પચાસેક ગ્રંથે લખ્યા છે. પૂ. વિનોબાજી જેવા સંતાએ તેમની ધર્મપ્રીતિ અને શાસ્ત્રચિંતનની મુક્તક હૈ પ્રશંસા કરી હતી. વળી, તેઓશ્રીના સ્વદેશપ્રેમ પણ વિશિષ્ટ હતા. મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે ટાઉનહોલમાં : " Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy