SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ સચાટ દાખલો બેસાડયો. પૂજ્યશ્રીના જીવનના સત્યશોધનના એ ઉત્તમ પુરાવેા છે. સ. ૧૯૬૦ના માગશર સુદ ૧૦ને બુધવારે ધસિ ંહ મુનિને સ ંવેગી દીક્ષા મળી અને ચારિત્રના વિજય માટે દૃઢપ્રતિજ્ઞ થઈ ને નીકળેલા આ યુવાન મુનિને ‘ ચારિત્રવિજય ’નામ મળ્યું. પૂજ્યશ્રીની અદ્ભુત સિદ્ધિ અને અમર સ્મારક તો છે પાલીતાણામાં શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુળ 'ની સ્થાપના, એનું સંવર્ધન અને એનું સંચાલન. પૂજ્યશ્રીએ આ ગુરુકુળની સ્થાપના માટે અનેક ઝંઝાવાતા અને વિરાધાના અડગ રહીને સામના કર્યાં. વગર ફેડે, શુકનનુ શ્રીફળ પણ ઉધાર લાવીને, માત્ર પાંચ જ વિદ્યાથી એની હાજરીથી આ સંસ્થાની સ્થાપના કરી. અને પૂજ્યશ્રીના અથાગ અને અવિરામ પ્રયત્નોથી આ 'સ્થા જેતજોતામાં વિશાળ વટવૃક્ષ બની ગઈ ! આ સંસ્થામાં શિક્ષણ મેળવી અનેક જૈન બાળકો સમાજને અને શાસનને ઉપયાગી બન્યાં. સ. ૧૯૬૮માં શુભાર’ભ પામેલી આ સંસ્થા અત્યારે તે આદર્શ ગુરુકુળ તરીકે પ્રખ્યાત છે. શાસનપ્રભાવક તેઓશ્રીની ભાવના તેા કાશી જેવા વિદ્યાધામમાં જઈ ને શાસ્ત્રોમાં પાર’ગત થવાની હતી. પેાતાના ગુરુદેવના આશીર્વાદ લઈ ને કાશી પહોંચ્યા ત્યાં અનેક જ્ઞાની-તપસ્વીઓના સંપર્કમાં આવ્યા. અનેક ધર્મોનુ, સંસ્કૃત આદિ ભાષાનુ, વિવિધ શાસ્ત્રોનું વિપુલ અને ગહન જ્ઞાન સ`પાદન કર્યુ, પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના પ્રીતિપાત્ર બન્યા. પછી તે તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ સ્થિત થયા ત્યાં ત્યાં શતસહસ્ર જૈન અને જૈનેતરો તેમનાં વચનામૃત સાંભળી ધન્ય ધન્ય બનતા હતા. શાસન અને સમાજની સેવાની ઉત્કટતા મુનિશ્રીમાં પહેલેથી જ હતી. લગ્ન અને કારજ પ્રસગે થતા ખર્ચાએ બંધ કરાવ્યા. અનેક પાઠશાળાએ ખાલાવી ધામિક શિક્ષણની પરખ માંડી. વ્યસની માણસાને વ્યસનમુક્ત કરાવ્યા. અનેક સ્થાનાએ કજિયા–કંકાસ મિટાવી મનમેળ કરાવ્યા. અનેક સ્થળાએ અઠ્ઠાઈ મહેાસવા અને સ્વામીવાત્સલ્યા થયાં. તેમનાં વ્યાખ્યાના પણ પશુપ ́ખીએ પ્રત્યે દયાભાવ, દીનદુઃખીએ પ્રત્યે દિલાસા, અને ધર્મ ભાવનાનાં સુ ંદર દૃષ્ટાંતેથી શાભી ઊઠતાં. તદુપરાંત, જૈનસાહિત્યને સમૃદ્ધ કરવું, સાક્ષરા તૈયાર કરવા, સાહિત્યમ દિશ સ્થાપવાં, જૈનધર્મોનાં નાનાંમોટાં પુસ્તકો પ્રકાશિત કરવાં, વગેરે કાર્યાં મેાટા પાયા પર કરવાની તેમની નેમ હતી. ત્રિપુટી રત્નાની મદદથી ઘણું વિશાળ કા થયું. તેમનાં સંસ્મરણા અનેકવિધ રંગોથી ર ંગાયેલાં છે. તી રક્ષાને જીવનધ્યેય તરીકે સ્વીકારનારા અને જ્ઞાનદાનને જીવનમ`ત્ર તરીકે આરાધનારા આ મુનિવર શાસનપ્રભાવનાનાં ઘણાં મેટાં કાર્યો કરી ગયા. સ. ૨૦૨૯ ના આસે! સુદ ૯ના જૈનશાસનના એ ધન્યેાતિમાં મહાજ્ગ્યાતિમાં વિલીન થઈ ગયા ! એમના અતિમ સંસ્કાર સમયે બધી જ કામના અગણિત લોકો ઉપસ્થિત હતા. શબ્દમાં સંજીવની અને કાર્યંમાં અદ્ભુત સ્ફૂતિ ધરાવતા આ મુનિરાજ કોઈ અભૂતપૂર્વ બુદ્ધિમત્તા, ન્યાયપ્રિયતા અને ભક્તિભાવથી અમર બની ગયા. શાસન અને સમાજને ચરણે દર્શન, જ્ઞાન અને ન્યાયની ત્રિપુટી–મહારાજની ભેટ ધરતા ગયા. સમગ્ર જૈનસમાજ પૂજ્યશ્રીનાં આ પવિત્ર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy