SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૩૫ સાધુ મહારાજે અને ૧૩ સાધ્વીજી મહારાજે વિચરી રહ્યાં છે. પૂજ્યશ્રી સામાન્ય માનવના સન્મિત્ર” તરીકે તથા ધર્મપથના વ્યવહારુ પથપ્રદર્શક તરીકે અમર રહેશે. (“જેન” પત્રમાંથી સાભાર). કચ્છના શુરા સપૂત : સત્યધર્મના ભેખધારી : સંયમના પૂજારી : ગુરુકુળ સ્થાપક : વીસમી સદીનું ગૌરવશાળી રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ જેનશાસનના સાચા સુભટ, રાષ્ટ્રીયતાના પ્રખર હિમાયતી, મુનિ શ્રી ચારિત્રવિજયજી ટૂંકી વયમાં અમરતાનું અને શહીદીનું ગૌરવપ્રદ જીવન જીવી ગયાની અનેક સાક્ષાએ મુક્તકંઠે પ્રશંસા કરી છે અને ઇતિહાસે પણ અનન્ય સાધારણ નોંધ લીધી છે. જીવનભર ધમપ્રભાવનાને જંગ ખેલ્ય, જ્યાં અન્યાય જે ત્યાં સામે થયા, જ્યાં શાસન હેલના જોઈ ત્યાં તન-મન વિસારે મૂકયું. પિતાની કદાવર કાયા શાસનસેવા પાછળ ગાળી નાખી. દેહ પર દમકતા તારુણ્યનું તેજ એ સેવા પાછળ જ ખચી નાખ્યું. તેઓશ્રીને છેલ્લી ઘડી સુધીને જાપ હતો કે, જેન બ અનાથ ન હોય, જૈન સંતાન અજ્ઞાન ન હોય, જેનધમી રેટી માટે તલસતો ન હોય. પિતાના આ જીવનમંત્રને સિદ્ધ કરવા જીવનભર ઝઝૂમતા રહ્યા. અનેક અપવાદ વેચા, અનેક સાથીઓ ખેયા, સુખાસને અને પદવીશભાઓ છોડી, દેહનાં દુઃખને ગણકાર્યા નહીં. નિયમ–ઉપનિયમની જાળ તેમના ચારિત્રને કેઈ કાળે ઝાંખી પાડી શકી નહિ. કચ્છની ધીંગી ધરા સપૂતની જનની છે. સંતે--મહેતે–ત્યાગીઓ અને શૂરાઓની ધસ્તી છે. આ પ્રદેશના પત્રી ગામમાં વીસા ઓસવાલના ધમિદ્ધિ કુટુંબમાં, પિતા ઘેલાશા અને માતા સુગભાબાઈને ત્યાં જમ્યા. નામ ધારશી રખાયું. તે શાસનની ધર્મધુરાના ધારક બન્યા. લાડકોડથી ઉછરતા ધારશીભાઈને ભૂતપ્રેત અને અંધશ્રદ્ધા પ્રત્યે પહેલેથી જ અણગમો હતો અને ધર્મપ્રીતિ, હિંમત, નીડરતા પ્રથમથી જ વિકસેલાં હતાં. અંતરાત્માના ધર્મને અનુસરનારા, સ્યાદ્વાદના સાચા મર્મને સમજનારા અને કાયા-માયાને વિસારનારા આ વિશ્વપ્રેમી મુનિરાજે બાળપણથી જ સંધર્ષો સામે જંગ માંડ્યો. પશુઓ અને મુસાફરો માટે આશ્રયસ્થાન સમે વાવેલ વડલ, દેરીલેટે લઈ મુંબઈ પહેચી નોકરીધંધાની કરેલી જમાવટ, મરકીના સપાટામાં આવી ગયેલા કુટુંબને આપેલું આશ્વાસન–એ પ્રસંગોમાં તેમની નીડરતા, સાહસિકતા અને શૂરવીરતાનાં દર્શન થાય છે. પિતે ઈન્ફલ્યુએન્ઝામાં સપડાતાં મિત્રની સલાહ માની સાચી શ્રદ્ધાથી ધર્મને શરણે જવાની ભાવના સેવી દીક્ષા લેવાની પ્રતિજ્ઞા કરી. મોહમયી મુંબઈ અને સંસારને મેહ છેડીને દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. દીક્ષા લઈ સ્થાનકવાસી સંપ્રદાયમાં ધર્મસિંહસ્વામી બન્યા. પણ ત્યાં સત્ય છાવરવાની વૃત્તિ અને આગમશાસ્ત્રોના મનગમતા અર્થો કરવા પ્રત્યેના વલણને સંકુચિત પારખી સંવેગી સંપ્રદાયમાં સમજણપૂર્વક અને વેચ્છાપૂર્વક દીક્ષાપરિવર્તન કરી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy