SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ શાસનપ્રભાવક વ્યાખ્યાન આપી, મુંબઈ કેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી, ખાદીનાં તૈયાર કપડાંની લ્હાણી કરાવી, તેઓશ્રીએ જૈન શ્રમણ માટે રાષ્ટ્રભાવનાનાં નવાં દ્વાર ખેલ્યાં હતાં. સર્વધર્મસમભાવ એ તેમને મહાન ગુણ હતું. તેથી જ તે હરિજનના મંદિર પ્રવેશ બાબત પૂજ્યશ્રીનું વલણ વિધાયક હતું. પ્રકાંડ પંડિત હોવા છતાં નિખાલસ અને નિર્મોહી વ્યક્તિત્વ ધરાવતા હતા. સાગર જેવી સમતા અને ઉદારતા ધરાવતા હતા; બાળક જેવી સરળતા અને મસ્તી ધરાવતા હતા. પરિણામે, પૂજ્યશ્રીએ જીવનનાં છેલ્લાં ૧૫-૨૦ વર્ષો શાંત–એકાંતવાસમાં ગાળ્યાં હતાં. ધર્મશાસ્ત્રોના વાચન અને ચિંતનમાં જ સમય વિતાવતા હતા. એવા એ પ્રખર વિદ્વત્ન મુનિવરને હૃદયપૂર્વક વંદના! (શ્રી રતિભાઈ મફાભાઈ શાહના “જૈન” પત્રના તા. ૭-૩-૭૦ના અંકના લેખના આધારે ) પ્રકાંડ દાર્શનિક : પ્રખર શાસનપ્રભાવક : જેન પરંપરાનો ઇતિહાસ ગ્રંથના સર્જક પૂજ્ય મુનિરાજશ્રી દશનવિજયજી ( ત્રિપુટી) મહારાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી – આ ત્રણ જૈન મુનિવરોનાં નામ અને કામથી ભાગ્યે જ કોઈ સાધુ, કઈ શ્રાવક કે કઈ સંઘ અણજાણ હશે ! ત્રિપુટી–મહારાજના નામથી તેઓ ભારતભરમાં જાણીતા છે. આવી આ મુનિવર ત્રિપુટીને વિધિએ આપણી વચ્ચેથી ખેંચી લીધી ત્યારે સંઘે ઘેરા શોકની લાગણી અનુભવી હતી. આ ત્રિપુટી પૈકી શ્રી ન્યાયવિજયજી મહારાજ અને શ્રી જ્ઞાનવિજ્યજી મહારાજ અગાઉ કાળધમને પામ્યા હતા. શ્રી દર્શનવિજયજી મહારાજ સં. ૨૦૨હ્ના મહા વદ અમાવાસ્યાને દિવસે પાલીતાણામાં, શત્રુંજયની છાયામાં, આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં, શત્રુંજય સામું મુખ રાખીને ભગવાન આદિનાથનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. જગતમાં જન્મે છે તે મૃત્યુવશ થાય છે એ અટલ નિયમ છે; પરંતુ મૃત્યુ મૃત્યુમાં ફેર હોય છે. કેઈ જીવતે જીવત મરેલાં જેવું જીવન જીવે છે, તે કઈ મૃત્યુ પછી સૈકાઓ સુધી નામ ન વીસરાય એવું ધર્મમય અને સેવામય જીવન જીવી પિતાના નામની આયુમર્યાદા અનંત કરતા જાય છે. ત્રિપુટીમહારાજ આવા ઉચ્ચ કેટિના મુનિવરે હતા. એમાં યે શ્રી દર્શનવિજયજી મહારાજ તો ત્રિપુટીમાં શિરમેર હતા. પૂ. દર્શનવિજયજી મહારાજનું સંસારી નામ મગનલાલ હતું. તેમની જન્મભૂમિ રાંદલના દડવા ગામ હતી. પિતાનું નામ પાનાચંદ અને માતાનું નામ કસ્તુરબેન હતું. વડી દીક્ષા સં. ૧૯૭૩ના ફાગણ સુદ ચોથને દિવસે શત્રુંજયની છાયામાં આચાર્ય શ્રી કમળસૂરિજી મહારાજ હસ્તે લીધી અને મુનિવર શ્રી ચારિત્રવિજ્યજી મહારાજ (કચ્છી)ના શિષ્ય ઘેષિત થયા. છપ્પન વર્ષ દીક્ષા ભેગવી, શત્રુંજયની છાયામાં કાળધર્મ પામ્યા. આ છપ્પન વર્ષના Jain Education International 2010.04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy