SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ બમણભગવંતો ૩૮૭ સંયમ સાધનામાં સહેજે ઊણપ ન આવે તેની સતત કાળજી રાખતા. મુનિરાજ અધ્યયનતપમાં આગળ વધતા રહ્યા. ગુરુનિશ્રાને લાભ નિરંતર પામવા માટે તેઓશ્રીએ વિ. સં. ૧૯૨૫ થી ૧૯૩૭ સુધીનાં તેર ચેમામાં પૂ. ગુરુદેવ સાથે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદાં જુદાં શહેરમાં કર્યો. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૧ના તીર્થપ્રવર્તનના શુભ દિવસે કચ્છના પલાંસવા ગામે ગુરુમહારાજને સ્વર્ગવાસ થતાં મુનિ જીતવિજયજી કેટલેક વખત ઘેરી શૂન્યતા અને તીવ્ર એકલતા અનુભવી રહ્યા. પરંતુ સંસારી ભાવે અને કર્મની ગતિઓને ઓળખનારા આ સંયમશીલ મુનિએ ઘેડા જ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી અને પછી ૪૨ વર્ષ સતત-અવિરામ શાસનસેવામાં વિતાવ્યાં. આત્મશુદ્ધિ માટે અનેક પ્રકારની નાનીમોટી તપસ્યા કરતા રહી તેઓશ્રીએ અનેક સ્થળોએ ચાતુર્માસ કરીને અને અનેક તીર્થભૂમિની યાત્રા કરીને સમાજમાં ધર્મજાગૃતિ લાવવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો. માબાપને પોતાનાં નબળાં સંતાને પર વિશેષ પ્રીતિ હેય તેમ પૂ. જીતવિજયજી દાદાને કચ્છના અને ખાસ કરીને વાગડના પછાત કે ઓછા ધર્મસંસ્કાર ધરાવતા પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી હતી. તેથી, પિતાના પંચાવન વર્ષના લાંબા દિક્ષાપર્યાયના અડધાથી પણ વધુ, ૩૦ જેટલા માસાં કચ્છ-વાગડમાં જ કરીને તેના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેઓશ્રી સાચા અર્થમાં વાગડના ઉદ્ધારક હતા. તેથી તેમના આજ્ઞાવતી સાધુ-સાધ્વીઓની પરંપરા આજે પણ વાગડવાળા” તરીકે ઓળખાય છે. ' અરે, એટલું જ નહિ, પિતાની વયેવૃદ્ધ અવસ્થામાં અને નાદુરસ્ત તબીયતને કારણે સં. ૧૯૭૪ થી સં. ૧૯૭૯ સુધીનાં પાંચ ચોમાસાં પણ વાગડ દેશનાં પલાંસવા ગામે જ કર્યા હતાં. પૂજ્યશ્રીને સ્વર્ગવાસ પણ “સિદ્ધ અનંત નમું નિશદિન” એ પંક્તિની ધૂન સાથે, ૮૪ વર્ષની પરિપકવ વયે, સં. ૧૯૮૦ના અષાઢ વદ ૬ ને શુક્રવારે ચડતે પહેરે પલાંસવા ગામમાં જ થયે હતે. અને તેથી પછાત ગણાતું પલાંસવા ગામ એક ગૌરવશાળી ગુતીર્થ બની રહ્યું ! આ ગુરુતીર્થના અધિનાયક પૂજ્ય શ્રમણરત્ન શ્રી જીતવિજયજી દાદાને આપણી ભાવભરી વંદના હે ! (સંકલનઃ મુનિશ્રી મુનિચંદ્રવિજ્યજી મહારાજ ) પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધુ અને પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજના જયેષ્ઠ ગુબંધુ પૂજ્ય પંન્યાસ શ્રી આણુંદવિજયજી ગણિવર પંન્યાસ આણંદવિજયજી મહારાજ પૂજ્યપાદ શ્રી બુટેરાયજી (બુદ્ધિવિજ્યજી) મહારાજના શિષ્યરત્ન અને શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધુ તથા શ્રી આત્મારામજી મહારાજના જ્યેષ્ઠ ગુરુબંધુ હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy