SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ધર્મ અને વિદ્યાભ્યાસના સંસ્કારામાં ઊછરતાં જયમલ્લના જીવનમાં ૧૨ વર્ષની ઊગતી વયે એક એવા વળાંક આવ્યે કે એણે તેની જીવનસરિતાના પ્રવાહ બદલી નાખ્યા. આ વળાંક હતા પીડાકારી, પણ તેનો અંત આવ્યે સુખાકારી. આ ઉંમરે જયમલ્લને આંખના દુ:ખાવા થઈ આવ્યેા. અનેક ઉપચાર કર્યો છતાં ચાર ચાર વરસ સુધી એકધારે દુઃખાવા સહન કરવા પડો. અંતે જયમલ્કે ધર્મનું અમૃતમય શરણું લીધું, અને મનેમન નિશ્ચય કર્યો કે, જે આ દર્દી મટી જશે તેા મારું જીવન સાધુપણામાં વિતાવીશ. આ સમયે જયમલ્લની ઉંમર, ભાગવાસનાના ભેરીંગા ફૂંફાડા મારવા લાગે છે એ, સોળ વરસની હતી. છતાં આ સંકલ્પ અજખ હતા. અને એને અંજામ પણ અજબ જ આવવાના હતા ! શાસનપ્રભાવક સમયના વહેવા સાથે જયમલ્લનુ યૌવન પાંગરતું જતું હતુ; તેની કાયા વિકસતી જતી હતી; બુદ્ધિ તેજસ્વી બનતી જતી હતી. એટલે સ્વાભાવિક જ માતાપિતાએ લગ્નના હાવા લેવાના વિચાર કર્યાં. પર`તુ તેને કયાં ખબર હતી કે જયમલ્લનુ હૃદય તે કચારનું ત્યાગના માર્ગ લઈ બેઠું હતું ! જયમલ્લને આ વાતની જાણ થઈ ત્યારે અંતરથી વૈરાગી વ્યક્તિને શાલે એવી શાંતિ અને સ્વસ્થતાથી તેણે માતાપિતાને દીક્ષા લેવાની પ્રતિજ્ઞાની વાત કરી. લાગણીમય શબ્દોથી કરેલી વાતને લઈ, માતાપિતાએ પણ જયમલ્લની ઇચ્છામાં પેાતાના મનના લ્હાવાઓને વિલીન કરી દીધા; અને પોતાના કુળતારક પુત્રની ધમભાવનાના ધ્વજ ઊંચા લહેરાતા રહે તેમાં સહયોગ આપવાનુ નક્કી કર્યું. જયમલ્લને દીક્ષા લેવાની અધીરાઈ વધતી જતી હતી. તેને હંમેશા એમ જ થયાં કરતું હતુ સસંગ અને સર્વીસ ગ્રહના સથા પરિત્યાગ કરવાની એ મગળ ઘડી કયારે આવશે ? એમ કરતાં, ૨૪ વર્ષની ઉમરે તેણે માતાપિતા સાથે શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જવાના નિર્ધાર કર્યાં. આજીવન બ્રહ્મચય – પાલનનાં દુષ્કર વ્રતને સ્વીકાર કર્યો. સંસારમાં રહેવા છતાં જળકમળવત્ નિલે`પ રહેવાના આરંભ કર્યાં. પરંતુ, સંસારત્યાગ અને સંયમસ્વીકારની ધન્ય ઘડી આવતાં ખીજા પાંચ વર્ષ પસાર થઈ ગયાં. એવામાં એક વાર સુવિહિત સંત પૂ. મુનિપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજ મુનિવરે સાથે કચ્છના આડીસર ગામમાં પધાર્યાં. તેમનાં દન અને સત્સંગથી જયમલ્લના મનના મારા નાચી ઊઠયો ! તેણે ગુરુદેવને ચરણે જીવન સમર્પિત કરવાની ભાવના દર્શાવી. અને તેમણે સ. ૧૯૨૫ના અક્ષયતૃતીયાના મહા પર્વના દિવસે પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી અને મુનિશ્રી જીતવિજયજી નામ આપ્યું. આ દીક્ષામહેાત્સવ વખતે એ ચમત્કાર થયા : જે કૂવાના પાણીથી જયમલ્લે છેલ્લું સ્નાન કર્યું હતુ. તે કૂવાનું પાણી મીઠું થઈ ગયુ! અને જે જીણું રાયણના વૃક્ષ નીચે દીક્ષાક્રિયા થઈ તેને ફરી ફળ આવ્યાં ! આ જોઈને જયમલ્લના આત્મા પોતાના મનોરથા કન્યાના અપૂર્વ આનંદ અનુભવી રહ્યો. સયમયાત્રામાં અપ્રમત્તભાવે વિચરવાના નિણૅયવાળા મુનિશ્રી જીતવિજયજી મહારાજ ત્યાગવૈરાગ્યની મૂર્તિ સમા ગુરુદેવની પ્રેરક છત્રછાયામાં દર્શન-જ્ઞાન–ચારિત્ર રૂપી રત્નત્રયીની ઉત્કટ આરાધનામાં મન-વચન-કાયાથી પરોવાઇ ગયા. પૂ. ગુરુદેવની સેવા-સુશ્રુષામાં અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy