SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૩૮૫ મ'ગળાચરણ કર્યું. તે જ વર્ષોંમાં મહા સુદ પાંચમથી શ્રી આચારાંગસૂત્રથી ૧૧ અગની વાચના શરૂ કરી. ચૈત્ર માસમાં ભગવતીસૂત્રની પણ શરૂઆત કરી. સ. ૧૯૩૪માં ઉદયપુરમાં પ્રવેશ કર્યાં. ત્યાંથી કેશરિયાજીમાં જૈન-જૈનેતરોના મેળાની સ્થાપના કરી. ચાતુર્માસ પછી ભીલવાડા તરફ વિહાર કર્યાં. સ. ૧૯૩૫માં કાનાડમાં જાહેર વ્યાખ્યાને આપ્યાં અને અમારિપ્રવર્તન માટે અથાગ પ્રયત્ન કરી સફળતાને વર્યાં. સં. ૧૯૩૬માં જિનેન્દ્રભક્તિ મહાત્સવ માટે ઉદયપુરમાં પધાર્યા. ત્યાંના જ્ઞાનભંડારા વ્યવસ્થિત કર્યાં. ત્યાં ચાતુર્માંસ કરી પર્યુષણ પની અપૂર્વ આરાધના અને નવ છેડનું ઉજમણું આદિ દ્વારા જૈન ધર્મના જયજયકાર વર્તાવ્યા. સ. ૧૯૩૭માં ગાડીજી મહારાજ દેરાસરના જીર્ણોદ્ધાર થયેા. ચૈત્ર-આસાની આય બીલની એળી માટે શ્રી વર્કીંમાન તપ કાયમી ખાતુ પૂજ્યશ્રીની પ્રેરણાથી સ્થાપવામાં આવ્યું. સં. ૧૯૩૮માં આડ, મેવાડ, ચિત્તા વગેરે સ્થળે વિહાર કરતાં કરતાં ઉદયપુરમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યાં. સ', ૧૯૪૦માં રાણકપુર તરફ વિહાર કરી પચતીથીની યાત્રા કરી. સ. ૧૯૪૦માં ઉદયપુરમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૯૪૧માં કેશરયાજી, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોર વગેરે સ્થળોએ જિનેન્દ્રભક્તિમહાત્સવ! યાજ્યા. ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનામાં સ'સારમાં ધર્મ અને તેની ભેદરેખા જણાવીને, બધાં ભારતીય દના તત્ત્વદર્શનની ભૂમિકાએ એક છે એ વાત સચાટતાથી પૂરવાર કરી. સનાતનીઓની માન્યતાના આધાર રૂપ વેદ-ઉપનિષદોના આધારે મૂર્તિ પૂજા યથાથ છે એ વાદ પ્રતિપાદિત કર્યાં. સં. ૧૯૪૨માં ઉદયપુરમાં ચાતુર્માસ વખતે શ્રી સિદ્ધાચલ મહાતીના રખાપા ક્રૂડ માટે મેટી રકમ એકત્ર કરાવી. ઉદયપુરમાં સમસ્ત જિનાલયેની ચૈત્યપરિપાટીની શરૂઆત કરાવી. ઉપધાન તપનો લ્હાવા લેવા સુ ંદર ભાવાલ્લાસ ઊભા કર્યાં. નવપદની એળીની સામૂહિક આરાધના આદિ અનેક ધર્મોંમંગળ કાર્યો થયાં. સં. ૧૯૪૩માં પૂજ્યશ્રીની વૈરાગ્યઝરતી વાણીથી પાંચ બહેનોનાં હૃદયમાં સંયમની ભાવના જાગી. સં. ૧૯૪૫માં ભાવનગરમાં પ્રવેશ કર્યાં. ત્યાંથી પાલીતાણા, ખાટાદ, લીમડી આદિ સ્થળાએ જૈનધમ ના જયજયકાર પ્રવર્તાવ્યા. સં. ૧૯૪૮ના માગશર સુદ મૌન એકાદશીએ લીમડીમાં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. શાસનનાં અનેકવિધ મંગળ કાર્યો કરનારા એ ગુરુદેવશ્રીને કોટિ કેડિટ વંદના ! શાંતિ અને સ્નેહના વિશાળ વડલા સમા શ્રમણરત્ન : સૌંચમસ્મૃતિ પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા કચ્છની ખમીરવંતી ધરતી સતા અને વધારતી રહી છે. એ પ્રદેશમાં ભચાઉ તાલુકામાં એમના ધર્માં પત્ની અવલખાઈ રહે. એ ધર્મ પ્રેમી સતીઓને જન્મ આપીને પોતાનુ ગૌરવ મનફરા ગામ છે. મનફરામાં ઉકા શેઠ અને દંપતીને ત્યાં વિ. સં. ૧૮૯૬ના ચૈત્ર સુદ બીજને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. કોઈ ગૌરવપૂર્ણ ભાવિના સ ંકેત હોય તેમ તે પુત્રનું નામ જયમલ્લ રાખ્યુ. . ૯૯ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy