SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક તેઓશ્રી સ’સારીપણામાં રાધનપુરના વતની હતા. વેારાવાડમાં એમનું રહેઠાણ હતુ.. સંસારીનામ ઇશ્વરલાલ હતુ. આથી વિશેષ એમની સંસારીપણાની માહિતી ઉપલબ્ધ થતી નથી. એમના માતાપિતાનાં નામ કે એમણે કચારે સયમ સ્વીકાયું તે અંગેની માહિતી પણ મળતી નથી. ૩૮૮ પરંતુ પૂ. ખુટેરાયજી મહારાજના શ્રી નિત્યવિજયજી મહારાજે સ. ૧૯૨૨માં ડીસામાં પાંચ શ્રાવકોને દીક્ષા આપી તેમાં પૂજ્ય આણુ વિજયજી મહારાજનો સમાવેશ હોય એવી સંભાવના છે. જ્યારે મુનિરાજ શ્રી વિજયજી મહારાજની યાદીમાં તેમનું સ`સારી નામ હરખચંદ હતું. અને ગુજરાતના ખેરાલુ તાલુકાના લુણવા મંડળીના તેએ વતની હતા. સ. ૧૯૪૪માં અમદાવાદથી પાલીતાણા જતા સંઘમાં તેઓ જોડાયા હતા; અને પૂ. મૂળચંદજી મહારાજના વરદ્ હસ્તે સિદ્ધગિરિની છાયામાં સ. ૧૯૪૪ના બીજા ચૈત્ર વદ્મ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકપૂરસૂરિજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ થયા. પૂ. આણુ વિજયજી મહારાજને સ. ૧૯૪૭માં મહા સુદ પાંચમના શુભ દિને પૂ. મુનિરાજ શ્રી વેરસાગરજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી હેતવિજયજી ગણિવરશ્રીએ લીબડીમાં ભગવતી જોગમાં પ્રવેશ કરાવ્યેા. પૂ. પં. શ્રી હેતવિજયજી મહારાજના હસ્તે બંને મુનિરાજોને લીંબડીમાં ભવ્ય મહોત્સવપૂર્ણાંક સ. ૧૯૪૭ના જેઠ સુદ ૧૧ને દિવસે ગણિ અને પન્યાસપદ આપવામાં આવ્યાં. તે સાથે મુનિશ્રી આનંદસાગરજી ( પૂ. સાગરાન`દસૂરિજી )ને દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસગે અમદાવાદથી શેઠ મણિભાઈ, પ્રેમાભાઈ, સિગભાઈ વગેરે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા. ઉત્સવ તથા તમામ ધાર્મિક ક્રિયાઓના લાભ બાઇ પુરબાઇએ લીધેા હતેા, કે જે પુરબાઇના નામે ધર્માંશાળા પણ છે. આ પદવી પ્રસંગે પુરખાઇ ધર્મશાળામાં પ્રવચન માટે સિહાસન તૈયાર કરવામાં આવ્યુ' હતુ', તેના ઉપર લેખ અને મુનિરાજોનાં ચિત્રા દેારવામાં આવ્યાં હતાં, જેમાં પૂ. પં. શ્રી આણુ વિજયજી મહારાજના ચિત્રને આલેખ છે. એવી જ રીતે, સં. ૧૯૪૮માં જામનગર જિલ્લાના જામ-ખંભાળિયા ગામે જિનમદિરની પ્રતિષ્ઠા પૂ. પં. શ્રી આણુ વિજયજી ગણિવરના હસ્તે થયાના શીલાલેખ છે. ઉપરાંત, તેઓશ્રીએ સ. ૧૯૬૧માં રાધનપુર ખાતે પૂ. મુનિ શ્રી ઉમ્મેદ્રવિજયજી ગણિવરને પંન્યાસપદ આપ્યુ હતુ. પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ સંસારીપણામાં હતા ત્યારે તેમની ઉંમર પ્રાય: ૭૦ વર્ષની નેાંધી છે. પૂ. આ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજના ગુરુદેવ શ્રી અમીવિજયજી મહારાજને શ્રી આણુ વિજયજી મહારાજે દીક્ષા આપી હતી. પૂ. પં. શ્રી વીરવિજયજી મહારાજને અને શ્રી જયમુનિજી મહારાજને યાગઢહન કરાવ્યાં હતાં એવા ઉલ્લેખા શ્રી મેહનલાલજી મહારાજના સંસ્કૃત ચરિત્રમાંથી સાંપડે છે. સ. ૧૯૫૪માં પ્રાય: પૂજ્યશ્રીના સ્વર્ગવાસ થયા હોવાનું મનાય છે. ( સંકલન : પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ. ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy