SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શાસનપ્રભાવક એક જ ગ્રંથમાં પુષ્પ, હારે અને અત્તરની બાટલીઓ ઠલવાયેલી જોવા મળે એવું વિરલ સદ્ભાગ્ય જ્યારે આપણને પ્રાપ્ત થયું છે ત્યારે પ્રયત્ન કરીનેય કદાગ્રહ, પૂર્વગ્રહોને છેડીને ય આપણે આપણુ નાકને સ્વચ્છ કરી દેવાની જરૂર છે. એક વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે પુષ્પ બનવાનું સામર્થ્ય દરેકમાં હતું નથી. બીજ સમર્પિત બને છેમાળીને, જાય છે અંધકારમાં, વેઠે છે કષ્ટો, ત્યારે પ્રગટે છે અંકુર અને ક્રમશઃ વિકાસ સાધતાં બને છે પુષ્પ ! આવાં પુષ્પોને એને હાર રૂપે બનાવવાનું કામ પણ કપરું છે. તે એ પુપિને નિચવીને અત્તર રૂપે બનાવીને એને સંગ્રહિત કરવાનું કામ પણ સહેલું તે નથી જ. સંપાદકે આ ગ્રંથમાં એ કપરા કાર્યને વાસ્તવિકતાની ધરતી પર લાવવાને જબરે પુરુષાર્થ કર્યો છે. અલબત્ત, બુદ્ધિના માધ્યમથી જ જે આ ગ્રંથ હાથમાં લેવામાં આવે અને વાંચવામાં આવે તે શક્ય છે કે પુષ્પનું સૌંદર્ય, પુષ્પના હારનું સૌંદર્ય અને અત્તરની બાટલીઓનું આકર્ષક પિકિંગ જ નજર સામે આવે. પણ આ ગ્રંથની એ સફળતા નથી. સફળતા તે એ છે કે આપણે એમાં રહેલી સુવાસને અનુભવીએ. એને બહાર લાવવા પ્રયત્નશીલ બનીએ. અને એ માટે જરૂરી છે હૃદયના માધ્યમથી આ ગ્રંથના શબ્દો વાંચવાની ! બુદ્ધિ સૌંદર્યની પૂજારણ છે, જ્યારે હૃદય તે સુવાસનું જ હિમાયતી છે. સાકર તે આંખને જ વિષય છે, જ્યારે મીઠાશ તે અનુભૂતિની ચીજ છે. બસ, આ ગ્રંથ સૌદર્ય પર જ અટકી જવા માટે નથી, સુવાસ સુધી પહોંચવા માટે છે. સાકર જેઈને જ રાજી થવા માટે નથી, મીઠાશની અનુભૂતિ કરવા માટે છે. અલબત્ત, કેપ્યુટરના આ યુગમાં સુવાસ સુધી પહોંચવાનું કાર્ય ધારીએ એટલું સહેલું નથી. એક નાનકડા જીવને બચાવવા ખાતર પ્રાણ છાવર કરવા સુધીનું સત્ત્વ દાખવનાર પુણ્યપુરુષની કેમળતાની પરિણતિને ઝૂકી જવાનું સામ દાખવવું સહેલું નથી. સેવાઈ ગયેલા નાનકડા પણ પાપ પાછળ પશ્ચાત્તાપનાં આંસુ વહાવતી આંખમાં આત્મા પર જામેલાં લખલૂટ કર્મોની થઈ રહેલી હોળી નિહાળવી એ જરાય સહેલું કામ નથી. ગુર્વાજ્ઞાના પાલન ખાતર ધમધખતી સગડી પર ચડી જઈને જાતનું બલિદાન દઈ દેનાર પુણ્યાત્માના આજ્ઞાપાલનના અવિહડ નેહને સમજી શકે તેવું હૃદય ધરાવવું સહેલી વાત નથી. આ ગ્રંથ આવાં જવલંત પરાક્રમનાં તથ્યથી ભરેલું છે. માત્ર એ તની આપણને જાણકારી મળી રહે એ જ એને ઉશ નથી. એ પરાક્રમનું શ્રવણ કાનને રંજિત કરી દે એમાં જ એની ઇતિકર્તવ્યતા નથી. એ પરાક્રમનું સ્મરણ ચિત્તને ઝણઝણાવતું રહે એ જ આ ગ્રંથસંપાદનની સફળતા નથી. તે દ્વારા આપણે સત્ય સુધી પહોંચીએ. ઋતિ અને સ્મૃતિ દ્વારા આપણે અનુભૂતિ સુધી પહોંચીએ. પુષ્પના સૌંદર્યને જોઈને અને સુવાસને અનુભવીને આપણે ખુદ એવા સૌંદર્યના અને સુવાસના સ્વામી બનીએ, એ જ આ ગ્રંથના સંપાદનને ઉદ્દેશ છે, એ જ આ ગ્રંથના પ્રકાશનને ઉદ્દેશ છે. એ જ આ ગ્રંથના વાચન-મનનને કે શ્રવણ-સ્મરણને ઉદ્દેશ છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy