SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે-૧ પપ અલબત્ત, આપણું એક કમજોરી છે કે આપણે કેઈને સુવાસ દેખાડી શકતા નથી, તે સામી વ્યક્તિની પણ કમજોરી છે કે એ સુવાસને આંખેથી જોઈ શકતી નથી. એક જ વિકલ્પ છે, સૌંદર્યના દર્શન દ્વારા એ પુષ્પ તરફ આકર્ષાય, નજીક આવે અને પછી સુવાસની અનુભૂતિ કરી લે આ ગ્રંથમાં આમ જોવા જાઓ તો માત્ર સૌંદર્યની જ ચર્ચા છે. કેકના તપની વાત છે, તે કેકના સ્વાધ્યાયની વાત છે. કો'કના સંયમજીવનની-વિશુદ્ધ પાલનની વાત છે, તે સેવાઈ ગયેલાં પ્રમાદસ્થાનો અંગે કેકની આંખમાંથી વહી ગયેલાં આંસુઓની વાત છે. પણ આ દરેક પ્રવૃત્તિની પાછળ રહેલી જવલંત પરિણતિ જે આપણને દેખાઈ જાય, એ પરિણતિને અનુરૂપ આપણું જીવન બનાવવાને મનમાં જે દઢ સંકલ્પ ઊભું થઈ જાય, એ સંકલ્પાનુરૂપ પુરુષાર્થ આચરવાનું જ ચાલુ થઈ જાય, તે મળેલા આ માનવજીવનની સફળતાને ચાર ચાંદ લાગી જાય એમાં લેશ શંકા નથી. એક મહત્વની વાત. આ ગ્રંથના તમામ લેખે મેં વાંચ્યા નથી, છતાં સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકની વારંવારની આ ગ્રન્થના લેખ અંગે કંઈક લખી આપવાની માંગણી ચાલુ રહી હોવાથી “કંઈક” લખી દીધું છે. આ ગ્રંથની લેકપ્રિયતા અંગે એટલા માટે કાંઈ લખવાનું નથી કે માત્ર દોઢબે વરસના ટૂંકા ગાળામાં જ એની બીજી આવૃત્તિ બહાર પડી રહી છે. આવા દળદાર અને અતિ વિશિષ્ટ કેટિના ગ્રંથને સકળ શ્રીસંઘે આપેલ જબરદસ્ત આવકાર એ જ આ ગ્રંથની જવલંત કપ્રિયતાની જાહેરાત છે. એક જૈનેતર વ્યક્તિએ જયવંતા જિનશાસનના શ્રમણભગવતે અંગે એક જ ગ્રંથમાં આટલી બધી વિશિષ્ટ, જવલંત અને સદ્દભાવપ્રેરક માહિતીઓ આપીને સકળ શ્રીસંઘ પર ક્યારેય ન વીસરી શકાય એવો ઉપકાર કર્યો છે. અને છેલ્લી વાત. આ સમસ્ત ગ્રંથમાં કયાંય પણ કોઈને હકીકતષ દેખાતે હોય, અતિશયોક્તિ લાગતી હોય કે જિનાજ્ઞાવિરુદ્ધ લખાણ જણાતું હોય તે તેમણે અચૂક ગ્રંથસંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકનું ધ્યાન દોરવું કે જેથી એનું યોગ્ય પરિમાર્જન કરવાને એમને ખ્યાલ આવે. સંપાદકશ્રીની અતિ આગ્રહભરી વિનંતિથી લખી આપેલા આ લખાણમાં મારાથી શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાઈ ગયું હોય તે એનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ (લેખક : વર્ધમાન તપેનિધિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયભુવન ભાનુસૂરીશ્વરજી-– અંતેવાસી પૂ. પંન્યાસ શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ. ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy