SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૧ પ૩ ૨૫૦૦ વર્ષના ગાળામાં આ ધરતી પર કેવાં કેવાં સુવાસિત પુષ્પ પ્રગટયાં! સુધર્માસ્વામી ને જંબુસ્વામી, પ્રભવસ્વામી ને શય્યભવસૂરિ, સ્થૂલિભદ્રસ્વામી ને યશોભદ્રસૂરિ ! એમની વિદ્યમાનતાએ એ કાળમાં ઢગલાબંધ આત્માઓને પિતાના તરફ આકર્ષા. કંઈ આત્માઓને એમનાં ચરણોમાં સમર્પિત થવા મજબૂર બનાવ્યા. એ સુવાસના સાન્નિધ્યે કંઈ આત્માઓ પિતાના જીવનને સુવાસિત બનાવી ચૂક્યા. હા, એ માત્ર એકલ-દોકલ પુષ્પરૂપે નહોતા. એક જ દેરામાં પવાયેલા હાર રૂપે પણ હતા. એય પાછો એક જ હાર નહોતે, ઢગલાબંધ હારે એ વખતે વિદ્યમાન હતા. ક્યાંક વિશુદ્ધ કોટિના બ્રહ્મચર્યની સુવાસ હતી, તે કયાંક અરમાન ઉતારી દે એવી તપશ્ચર્યાની અહાલેક હતી. ક્યાંક સ્વાધ્યાયના મંજલ ઘોષનો નાદ હતું, તે ક્યાંક પશ્ચાત્તાપની ભાગીરથીમાં સ્નાન કરીને પવિત્રતા પામનારી પરંપરા હતી. કેડીઓ કદાચ જુદી હતી, પણ દરેક કેડીઓ શિખર તરફ લઈ જતી હતી. માર્ગ કદાચ જુદા હતા, પણ મંજિલ તે એક જ હતી અને એટલે જ મતભેદ હતા, મનભેદ નહોતા. સામાચારીમાં ભિન્નતા હતી, સિદ્ધાંતમાં ભિન્નતા નહોતી. વિવાદો હતા, પણ વિખવાદો નહોતા. “રાગ-દ્વેષનો સર્વથા નાશ” એ જ એક જ્યાં લક્ષ્ય હોય અને એ લક્ષ્યને અનુરૂપ રાગ-દ્વેષના હાસ’નું જ્યાં નક્કર પરિણામ અનુભવાતું હોય ત્યાં સંસારવૃદ્ધિના કારણ બને એવા કષાયોનું સેવન થાય એ શક્ય જ ક્યાં છે? નિગોદના જીવ પ્રત્યેય વાત્સલ્યસભર હૈયું ધરાવતે આત્મા કોઈ મુનિ પ્રત્યે અંતરમાં ધિક્કારભાવ સંઘરીને બેસે એ વાતમાં માલ જ કયાં છે? અનંત અનંત જીવોના વાસ્તવિક હિતની સાચા અર્થમાં કાળજી લેનારા પ્રભુશાસન પર આજ સુધીમાં આક્રમણો ઓછાં નથી થયાં. ક્યારેક મંદિરે તૂટ્યાં છે, તો ક્યારેક આગમે સળગાવ્યાં છે, ક્યારેક સાધુઓનાં ખૂન પણ થયાં છે, તે ક્યારેક સાધ્વીજીઓનાં શીલ પણ જોખમમાં મુકાયાં છેઅને આમ છતાં, આજેય પ્રભુશાસન અડાલ ઊભું છે ! નિર્દોષ ગોચરી માટે ધેમ તાપમાં ખુલ્લા પગે કલાક સુધી ઘરે ઘર ફરનારા મુનિભગવંતે આજેય આ શાસનમાં વિદ્યમાન છે. તે પ્રવચનશક્તિથી હજારો આત્માઓને પ્રભુશાસનના રસિયા બનાવી દેનારા પ્રભાવક વ્યાખ્યાનકારો આજેય અહીં ઓછા નથી. અગણિત જૈનેતરને વિશિષ્ટ કોટિના પ્રભાવક યાત્રા સંઘ દ્વારા જિનશાસનની પ્રત્યે આકર્ષિત કરનારા જેનાચાર્યો આજેય આ ધરતીને શોભાવી રહ્યા છે. તે પ્રકૃષ્ટ તપશ્ચર્યાઓ દ્વારા કર્મોના ભુકકેભુક્કા બોલાવી દેનારા વિશિષ્ટ કોટિના તપસ્વી મુનિભગવંતો આ શાસનમાં ઓછા નથી. ટૂંકમાં, આ ગ્રંથમાં પુષ્પની વાત છે, પુના હારની વાત છે, અત્તરની ય વાત છે. છુટ્ટાં પુષ્પો છે, પુષ્પના હારે છે, અત્તરની બાટલીઓ પણ છે. જરૂર છે આપણું નાકને સ્વચ્છ કરવાની, આપણા સ્વચ્છ નાકને સ્વચ્છ રાખવાની. જે એમાં આપણે ઉપેક્ષા સેવીએ, બેદરકાર રહીએ તે પુષ્પો, પુના હાર અને અત્તરની બાટલીઓ વચ્ચે રહેવા છતાં આપણને સુવાસની અનુભૂતિ નહીં થાય એ નિશ્ચિત વાત છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy