SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ૩૪ ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકાટલામાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ રાખવામાં આવ્યુ. પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રાજની ૩૦૦ ગાથા કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમના કેટલાક પાડાના ખેાટા અર્થે સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણા, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને બાઈબલ જેવા અન્ય ધર્મગ્રંથાનુ તેમણે ઊંડુ રિશીલન કર્યુ હતું. આ ઊંડાં અધ્યયનને લીધે, માત્ર ગુજરાત અને પંજાબમાં જ નહિ, પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, જીરા, લુધીયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જ્યાં જ્યાં વિહાર કર્યાં ત્યાં ત્યાં તેમની વિદ્વત્તાની છાપ પડતી રહી. એટલુ જ નહિ, દેશવિદેશમાં પણ તેઓશ્રી એક મહાન ધર્માંવેત્તા તરીકે પ્રતિષ્ઠિત થયા. ઇ. સ. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સધર્મ પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્માંના પ્રતિનિધિ તરીકે પૂજ્ય આચાર્ય પ્રવરને આમત્રણ મળ્યું હતું. પરંતુ જૈનસાધુ સમુદ્ર પાર જતા ન હોવાથી એ પિરષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મેકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલા · શિકાગે પ્રશ્નોત્તર ' નામનેા ગ્રંથ જૈનધર્મના પાયાના સિદ્ધાંત પર ઘણા પ્રકાશ પાડે છે. આ પિરષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હત તા સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત ! તે સમયે આ સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી રાજસ્થાનમાં પધાર્યા હતા. બંનેને પરસ્પર મળવાની ઇચ્છા હતી. પૂ. આત્મારામજીએ સ્વામી દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનું નિમંત્રણ આપ્યું. અને તેઓશ્રી વિહાર કરીને જોધપુર પહોંચ્યા. પર`તુ એ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું. ધર્મ શાસ્ત્રોના આ અને પાર'ગતાનુ' મિલન તત્કાલીન સમાજ માટે જુદું જ પરિણામ લાવી શકયું હોત. કારણ કે વિશાળ અધ્યયનને લીધે પૂ. આત્મારામજી મહારાજ ઉદારમતવાદી હતા. એટલે પજાબના લાંબા સમયના વિહાર દરમિયાન તેઓશ્રીએ શુદ્ધ સનાતન જૈન ધર્માંના બાધ આપીને લોકોમાં ફેલાયેલી મૂર્તિ પૂજા આદિની ગેરસમજને દૂર કરી. આ ઉદાર નીતિને લીધે તેઓશ્રી અનેક સમજોપયાગી કાર્યો સહેલાઈથી કરી શકયા. પૂ. આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિના સંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તામાં એટલા અસરકારક રહ્યો કે બને સંયુક્ત નામે “ આત્માનંદ ’ નામની અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયા, દવાખાનાઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તે જ્યાં જઇએ ત્યાં ‘આત્માનંદ'નું જ નામ ગુંજતુ હોય ! સ. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યાં પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષાપર્યાય પછી સ. ૧૯૩૨માં ખુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy