SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતે ૩૭૫ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા. ત્યાર બાદ પાછા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલીતાણું આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યા. સમગ્ર જૈન સમાજ પર પૂજ્યશ્રીને ખૂબ જ પ્રભાવ હતું. તેમની મેઘાવી વાણી સાંભળવા માટે ગામડે ગામડે લોકે એકત્રિત થતા. સંઘના–મહાજનના આગેવાને પાંચ-દસ માઈલ સામે જઈને તેઓશ્રીનું સામૈયું કરતા, આની પ્રતીતિ તે તેમને પાલીતાણામાં આચાર્યપદવી આપવામાં આવી ત્યારે થઈ. એ જમાનામાં પ્રવાસનાં અલ્પતમ સાધન હોવા છતાં, આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રાંતમાંથી, દેશના જુદાં જુદાં નગરેમાંથી, પાંત્રીસ હજારથી પણ વધુ માણસે એકત્રિત થયા હતા. એ પૂજ્યશ્રીની લેકપ્રિયતાને ઉજજવળ પ્રસંગ હતે. તેઓશ્રી પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક ગ્રંથોના અધ્યયન ઉપરાંત ધર્મશાની ચર્ચા કરતા. મહાન ગ્રંથની રચના એ પણ તેમના સાધુજીવનનું ભગીરથ કાર્ય હતું. તેઓશ્રીએ લખેલા ગ્રંથમાં જેન તત્ત્વદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્વનિર્ણયપ્રસાદ, સમ્યકત્વશદ્વાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્વ તથા ઉપદેશબાવની, જેન મતવૃક્ષ, શિકાગે પ્રશ્નોત્તર, જૈન મત કા સ્વરૂપ, ઈસાઈ મત-સમીક્ષા, ચતુર્થ સ્તુતિનિર્ણય ભાગ ૧-૨; આ ઉપરાંત, તેઓશ્રીએ સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશ સ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા, સંખ્યાબંધ સ્તવને, પદો અને સન્ઝાની પણ રચના કરી છે. આ બધા ગ્રંથમાં તેમણે જૈનધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાઓની ઘણી વિગતે છણાવટ કરી છે. આ બધા ગ્રંથમાં, તેઓશ્રીએ જૈનધર્મ વિષે લખેલાં ગ્રંથમાં “જેન તત્ત્વદર્શ’ નામનું એક માત્ર દળદાર ગ્રંથ વાંચીએ તે પણ જૈનધર્મને સમગ્ર સાર એમાં આવી ગયેલે જણાશે. તેઓશ્રીએ એમાં જૈનધર્મની અન્ય ધર્મો સાથે તટસ્થ અને તુલનાત્મક સમીક્ષા કરીને જેનધર્મની વિશેષતા શી છે તે દર્શાવ્યું છે. “સમ્યક્ત્વ શલ્યદ્વાર ” નામના ગ્રંથમાં જૈનધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે તે આગમગ્રંથ અને ઇતિહાસમાંથી પૂરાવાઓ આપીને સિદ્ધ કરી બતાવ્યું છે. હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવાથી ઘણી કાવ્યરચનાએ હિન્દીમાં પણ કરી છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દીમાં આપનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતા. પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લોકપ્રિય અને સન્માનનીય હતા તેટલા લેકચાહક અને કાદર ધરાવનાર પણ હતા. આ ગુણે વિશે તેમની આસપાસ અનેક પ્રસંગે નોંધાયા છે, જેની સુવાસ ઘણું લાંબા સમય સુધી જેને શાસનમાં ફેલાતી રહેશે. તેઓશ્રી પિતાનાથી દીક્ષા પર્યાયમાં મોટા હોય (પછી ભલે પદવીમાં નાના હોય તો પણ તેમને વંદન કરતા. તેમણે આવા સાધુઓને સન્માન આપવામાં પિતાના ચારિત્રને ઉજજવળ કરેલું જોઈ શકાશે. વિદ્વત્તા અને વિનયના આ સુગને લીધે પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા દરેક સમ્પ્રદાયના લેક પર રહેતી. એટલે જ તે જમાનામાં પંજાબમાં ઉગ્રપણે ચાલ્યા આવતા મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી વચ્ચેના ઘેરા વિખવાદને તેઓશ્રી શમાવી શક્યા. એટલું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy