SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૩૭૩ સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યુ અરિહંત સિદ્ધ સાહુ 'ના ધ્યાનમાં વૈશાખ સુદ છની રાતના ૯-૩૦ કલાકે ભાવનગરમાં દેહાત્સગ કર્યાં. તેમનાથી દીક્ષિત થયેલા ૫. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી ( કાશીવાળા ), શ્રી વિજયનેમિસૂરિજી આદિ ૧૦ સાધુએ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી મુનિવરે અને સૂરિવરોને સમાવેશ થાય છે. આજે પણ તેઓશ્રીના નામ પાછળ સે’કડો સાધુઓની પરપરા છે. ( સંકલન : ‘ શ્રી તપાગચ્છ શ્રમણુવટવૃક્ષ 'માંથી સાભાર. ) જેમના પ્રભાવથી જૈનશાસન સાથે કળાએ ખીલેલા સૂની જેમ ઝળહળતું : જેમની વ્યાખ્યાનવાણી સાંભળવી એ પણ જીવનના લ્હાવા ગણાતા : પડદનના તલસ્પર્શી જ્ઞાતા : ન્યાયમાંભાનિધિ : કુવાદિતિમિરતરણી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જૈનાચાર્યામાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. મહાન ખુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિષ્યે!-મૂળચંદજી મહારાજ અને વૃદ્ધિચંદજી મહારાજ-જેવા જ પ્રખર શિષ્ય તરીકે તેઓશ્રીનુ સ્થાન અદ્વિતીય છે. પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેએશ્રીને જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મગળવારે પાખમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયે હતા. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનુ નામ રૂપાદેવી અને પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચ`દ્ર મહારાજા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિ’હું શીખ ધર્મ ગુરુ હતા. એમની ઇચ્છાદિત્તાને શીખ ધર્મગુરુ બનાવવાની હતી. પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યાં. જેલમાંથી ભાગીને તે અત્તરિસ'હુ સામે બહારવટે ચડ્યા. અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા. પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શકયા નહીં. પિતાના મિત્ર જોધમલ એસવાલને ત્યાં ઉછરતા દિત્તાને જૈન સાધુઓના સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાએમાં રસ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા એ સ્થાનકવાસી જૈન સાધુઓ-ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજ-ની છાપ દ્વિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાના સપ કર્યાં. જોધમલ આસવાલની નામરજી છતાં દ્વિત્તાને દીક્ષા માટે સમતિ આપવી પડી. વિ. સં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy